મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર


SHARE







મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર

રાજકોટ ગેમઝોન આગની ઘટના પછી મોરબીમાં તંત્ર હવે જાગ્યું છે અને ગેમ ઝોન ચેક કરવામાં આવ્યા ત્યારે એક પણ ગેઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબીમાં આવેલ ત્રણેય ગેમઝોનને તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે

છેલ્લા વર્ષોમાં સુરતની તક્ષશીલા, મોરબી ઝુલતા પૂલ જેવી અનેક ઘટના બની છે તો પણ સરકારે કોઇની સામે આકરા પગલાં લીધેલ નથી જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું જ  રહે છે દરમ્યાન રાજકોટ ખાતે ગેમઝોન આગની ઘટના બની હતી જેમાં ૩૦ જેટલા લોકોના મોત નિપજ્યાં છે જે બનાવની હવે સીટ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે જો કે, મોરબીની વાત કરીએ તો ચલલા ઘણા સેમીથી મોરબીની આજુબાજુમાં પણ ગેમ ઝોન આવેલ હતા જો કે, તેને ચેક કરવામાં આવ્યા ના હતા પરંતુ રાજકોટની ઘટના પછી મોરબીમાં તંત્ર હવે જાગ્યું છે અને મોલ, સિનેમા હૉલ તેમજ ગેમ ઝોન ચેક કરવામાં આવે છે તેમાં યોગાટા, લેવલ અપ અને થ્રિલ એન્ડ ચિલ ત્રણ ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબીમાં આવેલ ત્રણેય ગેમઝોનને તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે જો કે, રાજકોટ સહિત ગુજરાતમાં જુદાજુદા શહેરમાં છેલ્લા વર્ષોમાં બનેલ ગંભીર બનાવોમાં કસૂરવારોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ આગામી દિવસોમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું અટકશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિન નથી






Latest News