મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીના રામદેવનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું


SHARE







મોરબીના રામદેવનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામદેવનગરમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરમાં હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સોઑરડી વિસ્તાર પાસે આવેલ રામદેવનગરમાં રહેતા મનસુખભાઈ નાનજીભાઈ પરમાર (૪૦) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનો ભત્રીજો પ્રવીણભાઈ કરસનભાઈ પરમાર તેને મૃત હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આપઘાતના આ બનાવની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

વધુ પડતી બીપીની ગોળીઓ ખાઈ લેતા સારવારમાં
મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા ધરતીબેન કિશોરભાઈ પડસુંબીયા નામના ૨૭ વર્ષીય મહિલાએ ગત તા.૨૨ ના સાંજના ૪:૩૦ વાગ્યાના અરસામાં કોઇકારણસર એકીસાથે ૧૫-૨૦ જેટલી બીપીની ગોળીઓ ખાઈ લેતા તેઓને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.તેઓએ ઘર અને ક્લિનિક પાસે તેઓએ આ પગલું ભરી લીધું હતું.જેથી તેઓને અસર થતા સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ સુત્રો તરફથી તાલુકા પોલીસ મથકે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા આ બનાવની નોંધ કરીને કારણ બાબતે આગળની તપાસ કરવામાં આવી હતી






Latest News