મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા રવિવારે સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન


SHARE








મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા રવિવારે સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે આગામી રવિવારના રોજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ મોરબી જિલ્લા દ્વારા સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

સમૂહ રાંદલ ઉત્સવના આ કાર્યક્રમમાં આગામી તા.૨ ને રવિવારના રોજ સવારે ૭ કલાકે પૂજાનો આરંભ થશે, ૧૦ કલાકે કાર્યક્રમનો દિપપ્રાગટ્ય કરવામાં આવશે, જયારે ૧૦:૩૦ કલાકે ગોરણીઓના પગ ધોઈને બપોરના ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે.જ્યારે બપોરના ૨ કલાકે ઘોડો ખુંદવામાં આવશે અને સાંજે ૪ વાગ્યે સંતોના સામૈયા કરવામાં આવશે.આ ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત બ્રહ્મસમજ અધ્યક્ષ ધારણીબેન શુક્લા, ઓલ ઇન્ડિયા બ્રાહ્મીન ફેડરેશનના મહિલા પાંખના પૂર્વ પ્રમુખ ચંદ્રિકાબેન ત્રિવેદી, મોરબીના બ્રહ્મ અગ્રણી અનિલભાઈ મહેતા, પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, શાસ્ત્રી નિખિલભાઈ જોશી વિગેરે ઉપસ્થિત રહેશે. બ્રહ્મ સમાજની જુદી જુદી સંસ્થાઓ આ સમૂહ રાંદલ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહી છે.તેમ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ મોરબી જિલ્લાના હોદેદારો દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News