મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ખાનગી શાળા-હોસ્પિટલોની જેમ જ સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીની સુવિધાઓની ચકાસણી થવી જોઈએ : મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ


SHARE







ખાનગી શાળા-હોસ્પિટલોની જેમ જ સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીની સુવિધાઓની ચકાસણી થવી જોઈએ : મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ

રાજકોટ ગેમઝોનમાં અગ્નીકાંડ પછી સરકારી કામોમાં ગતી આવેલ છે દરેક ખાનગી હોસ્પીટલ તથા શાળામાં ફાયરસેફટીના સાધનો વસાવવા જોઇએ સાથે-સાથે સરકારી કચેરીઓમાં પણ તેનો અમલ થવો જરૂરી છે.

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવેલ છે કે, રાજકોટમાં સર્જાયેલ અગ્નીકાંડની ઘટના બાદ સરકારે ઝડપથી કામગીરી શરૂ કરેલ છે તે અભિનંદનને પાત્ર છે.હાલે સરકારી અધિકારીઓ શાળાઓ, ખાનગી હોસ્પીટલો, છાત્રાલયો જેવી દરેક જગ્યાઓએ ફાયર સેફટીના સાધનો માટે તાકીદ કરી રહયાં છે.પરંતુ પ્રજાનો જયાં દરરોજ ધસારો રહે છે તે સરકારી કચેરીઓ જેમ કે કલેકટર કચેરી, જીલ્લા-તાલુકા પંચાયત, નગરપાલીકા, પોસ્ટ ઓફીસ, સેવા સદન, જાહેર લાઇબ્રેરી, શાક માર્કીટ, બેંકો તથા અન્ય કચેરીમાં પણ માણસો કામસર આવે છે જયાં ખુબ જ ભીડ હોય છે.ત્યાં ફાયર સેફટીનાં સાધનો નથી હોતા માટે તાત્કાલીક આવી જગ્યાઓએ ફાયર સેફટીના સાધનો મુકાવીને પ્રજાને સંતોષ અને સલામતી આપવી જોઇએ.ર્દુઘટના કયારે બને તેનુ કડઇ નકકી નથી.તો આ બાબતે સરકાર તાત્કાલીક આદેશ કરે અને તે માટે જરૂરી ગ્રાન્ટ મંજુર કરે તેવી અપેક્ષા મોરબીવાસીઓ વતી મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ વ્યકત કરેલ છે






Latest News