મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ નજીક રાતકડી હનુમાન તરફ જવાના રસ્તે બાઇકને કાર ચાલકે હડફેટે લેતા આધેડનું મોત


SHARE







હળવદ નજીક રાતકડી હનુમાન તરફ જવાના રસ્તે બાઇકને કાર ચાલકે હડફેટે લેતા આધેડનું મોત

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ રાતકડી હનુમાન તરફ જવાના રસ્તા પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લીધૂ હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં તેનો આધેડનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વઢવાણ તાલુકાના વેળાવદર ગામના રહેવાસી અને હાલમાં હળવદમાં આવેલ વસંતપાર્કમાં રહેતા અશ્વિનભાઈ ગણેશભાઈ ચૌહાણ જાતે દલવાડી (૨૮) એ કાર ચાલક માનગઢના માજી સરપંચ વનજીભાઈ મગનભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના પિતા ગણેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ પોતાનું બાઈક નંબર જીજે ૧૩ એપી ૩૨૭૨ લઈને હળવદ નજીક આવેલ રાતકડી હનુમાનજી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સિલ્વર કલરની આઈ ૧૦ ગાડી લઈને આરોપી ત્યાંથી નીકળતા તેણે ફરિયાદીના પિતાના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદી યુવાનના પિતાને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું અને અકસ્માત સર્જીને કારચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ આધેડના દીકરાઈની ફરિયાદ લઈને પોલીસે માનગઢના માજી સરપંચ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News