મોરબી જીલ્લામાં પ્રકૃતિના જતન સાથે ખેતી પાકોની વૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય
મોરબીના શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓ માટે છાસ વિતરણ કરાયું
SHARE
મોરબીના શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓ માટે છાસ વિતરણ કરાયું
ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે માટે વાવડી રોડ પર આવેલ રાધા પાર્ક સોસાયટીના ગેટ પાસે શ્રી કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્પેશિયલ પંજાબી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં અંગ દઝાડતી ગરમીમાં એકદમ ઠંડી અને ફુદીનો, કોથમીર તથા સેકેલ જીરાના મસાલાથી ભરપૂર પંજાબી છાસ પીને રાહદારીઓને પણ ઠંડકનો અહેસાસ થયો હતો. આ છાસ વિતરણ માટે રાધા પાર્ક સોસાયટીના રહીશો તથા ખાસ કરીને નાના તરૂણોએ ખૂબ જ સહકાર આપ્યો હતો.