ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા કોંગ્રેસની ચીફ ઓફિસરને રજૂઆત


SHARE













મોરબીના વીસીપરા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા કોંગ્રેસની ચીફ ઓફિસરને રજૂઆત

મોરબીના જુદાજુદા વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વિસીપરા વિસ્તારમાં પીવાના પાણીની પ્રાથમિક સુવિધા માટે લોકો હેરાન છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા ચીફ ઓફીસરને લેખિત રજૂઆત કરીને લોકોને નિયાનીત પાણી આપવાની માંગ કરી છે

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ હાલમાં ચીફ ઓફીસરને લેખિત રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં વિસીપરા વિસ્તારમાં આવેલ મદિના સોસાયટી, કુલીનગર-૨, શી ફાર્મ સરકારી વાડી, ભીમરાવનગર, વિસીનગર, ફુલછાબ સોસાયટી, મીલની ચાલી વિગેરે વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી પાણી આપવામાં આવતું નથી. અને આ વિસ્તારમાં લોકોના ઘર સુધી પાણી પહોંચતુ નથી. જેના કારણે લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને પાણીની પાઈપ લાઈનમાં અલગ અલગ જગ્યાએ વાલ્વ મુકી પાણીનું યોગ્ય રીતે વિતરણ કરવામાં આવે અને લોકોને પાણી પૂરતા પ્રમાણમા મળે તેના માટે યોગ્ય કકાર્યવાહી કરવાં આવે તેવી માંગ કરી છે






Latest News