મોરબીના ઘુંટુ ગામે પીએચસી ખાતે કેન્સરનો સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો
હળવદમાં પોલીસની ફરજમાં રૂકાવટના કેસમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા આદેશ
SHARE
હળવદમાં પોલીસની ફરજમાં રૂકાવટના કેસમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા આદેશ
હળવદ તાલુકા પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીને માર મારવાનો ગુનો નોંધાયો હતો જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા માટે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ કોર્ટે આદેશ કર્યો છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાવેશભાઈ માવાભાઈ મિયાત્રાએ રાયધન છગનભાઈ કોળી, સાગર રાયધનભાઈ કોળી, સંજય ઉર્ફે સંજો રાયધનભાઈ કોળી અને અજાણ્યો ઇસમ જે ધીરૂભાઈ માવસંગભાઈ અસ્વાર રહે. સુંદરગઢ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરિયાદી પોલીસ ખાતામાં ફરજ બજાવતા હોય તેની ફરજમાં રૂકાવટ કરી ડાબા હાથે કલાઈના ભાગે લાકડા મારીને ફ્રેકચર જેવી ઇજા કરી હતી જેથી પોલીસ કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આ કેસમાં ચાર્જશીટ કરવામાં આવતા કેસ મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત ડીસ્ચાર્જની અરજી કરી હતી જેમાં સીઆરપીસી કલમ ૧૯૫ નો બાર હોવાની રજૂઆત કરતા આરોપીને ડીસ્ટ્રીકટ જજ દ્વારા બિન તહોમત છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા), મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા