મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદમાં પોલીસની ફરજમાં રૂકાવટના કેસમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા આદેશ


SHARE







હળવદમાં પોલીસની ફરજમાં રૂકાવટના કેસમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા આદેશ

હળવદ તાલુકા પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીને માર મારવાનો ગુનો નોંધાયો હતો જે કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીઓને બિન તહોમત છોડી મુકવા માટે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ કોર્ટે આદેશ કર્યો છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભાવેશભાઈ માવાભાઈ મિયાત્રાએ રાયધન છગનભાઈ કોળી, સાગર રાયધનભાઈ કોળી, સંજય ઉર્ફે સંજો રાયધનભાઈ કોળી અને અજાણ્યો ઇસમ જે ધીરૂભાઈ માવસંગભાઈ અસ્વાર રહે. સુંદરગઢ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરિયાદી પોલીસ ખાતામાં ફરજ બજાવતા હોય તેની ફરજમાં રૂકાવટ કરી ડાબા હાથે કલાઈના ભાગે લાકડા મારીને ફ્રેકચર જેવી ઇજા કરી હતી જેથી પોલીસ કર્મચારીએ નોંધાવેલ ફરિયાદ આધારે આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આ કેસમાં ચાર્જશીટ કરવામાં આવતા કેસ મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત ડીસ્ચાર્જની અરજી કરી હતી જેમાં સીઆરપીસી કલમ ૧૯૫ નો બાર હોવાની રજૂઆત કરતા આરોપીને ડીસ્ટ્રીકટ જજ દ્વારા બિન તહોમત છોડી મુકવાનો હુકમ કરેલ છે  આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા), મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા






Latest News