માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના ગામડાઓમા આડેધડ બાંધકામ રોકવા ડીડીઓને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજુઆત


SHARE

















મોરબી જીલ્લાના ગામડાઓમા આડેધડ બાંધકામ રોકવા ડીડીઓને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજુઆત

મોરબી જીલ્લાના ગામડાઓમાં સરપંચો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આડેધડ મંજૂરીઓ આપવામાં આવે છે ત્યારે ગ્રામ પંચાયતમાં આવતા વિસ્તારમાં અધિકૃત અધિકારી દ્વારા મંજૂરી આપવામાં આવે તેના માટે યોગ્ય કરવા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા હાલમાં ડીડીઓને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ આજે ડીડીઓને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, જીલ્લામાં આવેલ ગ્રામ પંચાયતની હદમાં બહુમાળી ઈમારતો, મકાનો અને શોપિંગ કોમ્પ્લેક્ષ જેવા બિલ્ડીંગના બાંધકામ વર્ષોથી કરવામાં આવે છે અને હજુ પણ બાંધકામ કરવામાં આવી રહ્યા છે ત્યારે બહુમાળી બિલ્ડીંગ ગ્રામ પંચાયતના સરપંચે ગુજરાત સરકાર ગ્રામ પંચાયત ગૃહ વિભાગ નિર્માણના નિયમોનું ઉલ્લંઘન કરીને મંજૂરીઓ આપેલ છે અને હજુ પણ મંજુરી આપવામાં આવી રહી છે અને તે પંચાયત ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના પરિપત્રમાં આપેલ સુચના, નિયમો વિરુદ્ધ મંજૂરીઓ આપેલ છે

મોરબી જીલ્લો ભૂકંપ ઝોન- ૪ માં આવે છે જેથી ભવિષ્યમાં આવા બહુમાળી બિલ્ડીંગથી જાનહાની થવાની સંભાવના છે ત્યારે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૯૩ (૧) ની જોગવાઈ મુજબ ગ્રામ/નગર પંચાયતની હદમાં કોઈ મકાનનું બાંધકામ શરુ કરતા પહેલા કે ફરીથી શરુ કરતા પહેલા સંબંધકર્તા ગામ/નગર પંચાયતની પૂર્વ મંજુરી મેળવવાની રહે છે જે મંજુરી ઉપવીધિઓ (બાયલોઝ) તૈયાર કરીને બાંધકામને લગતા નિષ્ણાંત એન્જીનીયર તેમજ ટેકનીકલ નિષ્ણાંત અધિકારીઓ તેમજ સામાજિક સુરક્ષાના નિષ્ણાંત અધિકારીઓની કમિટી બનાવીને તેનો અભિપ્રાય લઈને સરપંચ મંજુરી આપી સકે તેવું ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૩૨૪ (૨) માં દર્શાવેલ છે. તે અંગેના નમૂનાઓ મુજબ બાંધકામના પ્લાન નકશા વગેરે તૈયાર કરીને જીલ્લા પંચાયતને મોકલવામાં આવે છે અને ત્યાંથી મંજુરી મળ્યા બાદ ગ્રામ પંચાયતના સરપંચ મંજુરી આપી સકે છે તેવું સરકારના પરિપત્ર પરથી સાર્થક થાય છે તો આ બાબતે મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આપેલ બાંધકામની મંજૂરીઓ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે




Latest News