ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનના લગ્ન ન થતાં હતાશ થઈને ન કરવાનું કરી નાખ્યું


SHARE













મોરબીમાં રહેતા યુવાનના લગ્ન ન થતાં હતાશ થઈને ન કરવાનું કરી નાખ્યું

મોરબીના વાવડી રોડે આવેલ કારીયા સોસાયટીમાં રહેતા યુવાનના લગ્ન ન થયા હોય તે હતાશ થઈ ગયો હતો અને તેણે કંટાળીને મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં સેજોન પેપર મિલની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની કારીયા સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ માધાભાઈ ટોળીયા જાતે ભરવાડ (37) નામના યુવાને મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં આવેલ સેજોન પેપર મીલની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતકના ભાઈ શીવાભાઈ માધાભાઈ ટોળીયા (42) રહે. કારીયા સોસાયટી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક પાંચ ભાઈઓમાં મોટા બે ભાઈ તથા નાના બે ભાઈના લગ્ન થઈ ગયા હતા અને નાના ભાઇઓના ઘરે પણ છોકરા હતા. જોકે મૃતક યુવાનના લગ્ન થયા ન હતા અને આજ દિવસ સુધી મૃતક યુવાનના લગ્ન ન થતા છેલ્લા ઘણા સમયથી તે હતાશ રહેતો હતો અને લગ્ન ન થયા હોવાનું મનમાં દુખ રહેતું હોય તેણે કંટાળીને કારખાનાના કવાર્ટરનો દરવાજો અંદરથી બંધ કરી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News