મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરાઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનના લગ્ન ન થતાં હતાશ થઈને ન કરવાનું કરી નાખ્યું


SHARE









મોરબીમાં રહેતા યુવાનના લગ્ન ન થતાં હતાશ થઈને ન કરવાનું કરી નાખ્યું

મોરબીના વાવડી રોડે આવેલ કારીયા સોસાયટીમાં રહેતા યુવાનના લગ્ન ન થયા હોય તે હતાશ થઈ ગયો હતો અને તેણે કંટાળીને મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં સેજોન પેપર મિલની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની કારીયા સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ માધાભાઈ ટોળીયા જાતે ભરવાડ (37) નામના યુવાને મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં આવેલ સેજોન પેપર મીલની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતકના ભાઈ શીવાભાઈ માધાભાઈ ટોળીયા (42) રહે. કારીયા સોસાયટી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક પાંચ ભાઈઓમાં મોટા બે ભાઈ તથા નાના બે ભાઈના લગ્ન થઈ ગયા હતા અને નાના ભાઇઓના ઘરે પણ છોકરા હતા. જોકે મૃતક યુવાનના લગ્ન થયા ન હતા અને આજ દિવસ સુધી મૃતક યુવાનના લગ્ન ન થતા છેલ્લા ઘણા સમયથી તે હતાશ રહેતો હતો અને લગ્ન ન થયા હોવાનું મનમાં દુખ રહેતું હોય તેણે કંટાળીને કારખાનાના કવાર્ટરનો દરવાજો અંદરથી બંધ કરી ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News