ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોએ મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરીને એ ડિવિઝનમાં ફરિયાદ નોંધવા અરજી આપી


SHARE













મોરબી વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોએ મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરીને એ ડિવિઝનમાં ફરિયાદ નોંધવા અરજી આપી

#Boycottmaharaj #netflix #સનાતન #sanatan #vhp #bajrangdal

મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોમાં રોષ સાથે મહારાજા ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરલે છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપીને યશરાજ ફિલ્મના ડાયરેક્ટર અને આ ફિલ્મના સંબંધિત તમામ લોકો સામે ગુનો નોંધવા રજૂઆત કરવામાં આવી છે.

બોલીવુડના અભિનેતા આમિરખાનના દીકરા જુનેદખાનની પહેલી ફિલ્મ મહારાજા 14 જૂને નેટફ્લિકસ પર રિલીઝ થવાની હતી જો કે, ફિલ્મના પોસ્ટર અને સ્ટોરીને લઈને વિવાદ થયેલ છે અને મામલો હાઇકોર્ટ સુધી પહોચી ગયેલ છે જેથી કરીને આ ફિલ્મને રિલીઝ કરવા પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. તેવામાં મોરબીમાં વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોએ મહારાજા ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને લેખિતમાં અરજી ફરિયાદ આપેલ છે.

મોરબી પાલિકાના માજી સભ્ય પ્રફુલભાઇએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મની આસ્થા પર ફિલ્મ બનાવી તેમજ પુસ્તક લખીને પ્રહાર કરવામાં આવ્યો છે. જેથી મહારાજા પુસ્તક લખનાર સૌરભ શાહપુસ્તક પ્રકાશિત કરનાર  પ્રકાશન હાઉસતેમજ યશરાજ ફિલ્મ અને આમિરખાન તેમજ જુનેદખાન સામે ફરિયાદ કરવાની માંગ કરી છે અને આ પુસ્તકમાં હિન્દુ સંતોધર્મગુરુહિન્દુ ધર્મની બહેનોસ્ત્રીઓ અને સૌથી વધારે હિન્દુ ધર્મના પરમ આરાધ્યાય એવા ભગવાન શ્રીકૃષ્ણ ઉપર પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. અને ધર્મગ્રંથોને ખરાબ ગણવામાં આવ્યા છે. જેથી કરીને આવી ઘટના ભવિષ્યમાં બીજી વખત ન બને તે માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. 

વધુમાં વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોએ જણાવ્યુ હતું કે, વારંવાર હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોચડવાનું કામ કરવામાં આવે છે આટલું જ નહીં ફિલ્મને હિત કરવા માટે માત્રને માત્ર આવા સ્ટન્ટ કરીને વિવાદ ઉભા કરવામાં આવે છે જેથી પુસ્તક લખનાર અને તેના ઉપરથી ફિલ્મ બનાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ ભવિષ્યમાં આવી રીતે હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોચડવાની પ્રવૃતિ ઉપર બ્રેક લાગશે






Latest News