મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માતના કેસમાં ગ્રાહકને ૩.૫૬ લાખ વીમાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ


SHARE









મોરબીમાં વાહન અકસ્માતના કેસમાં ગ્રાહકને .૫૬ લાખ વીમાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબીના રણછોડનગરના રહીશ નારણભાઈ દેવદાનભાઈ ડાંગરનું વાહન મોરબી જેતપર રોડ પર બીજા વાહન સાથે અથડાયેલ હતું જેથી અકસ્માત થયો હતો અને રિલાયન્સ જનરલ ઇન્સ્યુરસન્સ કંપનીએ વીમાની ના પડી હતી જેથી મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ કરવામાં આવતા વીમા કંપનીને નારણભાઈ ડાંગરને ૩,૫૬,૫૯૭ વીમાના એન ૮૦૦૦ ખર્ચના ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવા આદેશ કરેલ છે.

મોરબીના રણછોડનગરના રહેવાસી નારણભાઈની ગાડી બીજી ગાડી સાથે જેતપર રોડ પર અથડાતા ભારે નુકશાન થયેલ હતું અને ગ્રાહકે સમયસર કાગળો રીન્યુ કરેલ પરંતુ રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ કહયુ કે, નારણભાઈને કોઈ ઇજા થયેલ નથી એટલે કન્ડીશન એક મુજબ વીમો મળે નહીં તેમ કરી વીમો ના મંજુર કરેલ હતો ત્યાર બાદ નારણભાઈ ડાંગર મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તકરાર કમીશનમાં જતા કોર્ટે વીમા કંપનીને કહયુ હયાતું કે તમારી સેવામાં ખામી છે તેની વીમા પોલીસી ચાલુ છે પ્રીમીયમ ભરેલ છે માટે તમારે નારણભાઈ ડાંગરને ૩,૫૬,૫૯૭ વીમાના અને ૮૦૦૦ અન્ય ખર્ચના આમ કુલ રકમ ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવા આદેશ કરેલ છે જેથી આવા કોઈપણ કેસમાં ગ્રાહકને પોતાના હકક માટે લડવું જોઈએ તેવું સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨)એ જણાવ્યુ છે






Latest News