મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં વાહન અકસ્માતના કેસમાં ગ્રાહકને ૩.૫૬ લાખ વીમાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ


SHARE







મોરબીમાં વાહન અકસ્માતના કેસમાં ગ્રાહકને .૫૬ લાખ વીમાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબીના રણછોડનગરના રહીશ નારણભાઈ દેવદાનભાઈ ડાંગરનું વાહન મોરબી જેતપર રોડ પર બીજા વાહન સાથે અથડાયેલ હતું જેથી અકસ્માત થયો હતો અને રિલાયન્સ જનરલ ઇન્સ્યુરસન્સ કંપનીએ વીમાની ના પડી હતી જેથી મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ કરવામાં આવતા વીમા કંપનીને નારણભાઈ ડાંગરને ૩,૫૬,૫૯૭ વીમાના એન ૮૦૦૦ ખર્ચના ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવા આદેશ કરેલ છે.

મોરબીના રણછોડનગરના રહેવાસી નારણભાઈની ગાડી બીજી ગાડી સાથે જેતપર રોડ પર અથડાતા ભારે નુકશાન થયેલ હતું અને ગ્રાહકે સમયસર કાગળો રીન્યુ કરેલ પરંતુ રિલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ કહયુ કે, નારણભાઈને કોઈ ઇજા થયેલ નથી એટલે કન્ડીશન એક મુજબ વીમો મળે નહીં તેમ કરી વીમો ના મંજુર કરેલ હતો ત્યાર બાદ નારણભાઈ ડાંગર મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક તકરાર કમીશનમાં જતા કોર્ટે વીમા કંપનીને કહયુ હયાતું કે તમારી સેવામાં ખામી છે તેની વીમા પોલીસી ચાલુ છે પ્રીમીયમ ભરેલ છે માટે તમારે નારણભાઈ ડાંગરને ૩,૫૬,૫૯૭ વીમાના અને ૮૦૦૦ અન્ય ખર્ચના આમ કુલ રકમ ૯ ટકાના વ્યાજ સાથે ચુકવવા આદેશ કરેલ છે જેથી આવા કોઈપણ કેસમાં ગ્રાહકને પોતાના હકક માટે લડવું જોઈએ તેવું સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨)એ જણાવ્યુ છે






Latest News