કચ્છના કંડલાથી મોરબીના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુ પુલ બનાવવા વડાપ્રધાનને રજૂઆત
SHARE
કચ્છના કંડલાથી મોરબીના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુ પુલ બનાવવા વડાપ્રધાનને રજૂઆત
મોરબીના ઔદ્યોગિક વિકાસને ધ્યાને લઈને કચ્છ જિલ્લાના કંડલા બંદરથી મોરબી જિલ્લાના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુના પુલનું નિર્માણ કરવામાં આવે તે અનિવાર્ય બનેલ છે ત્યારે આ બાબતે હાલમાં મોરબી જીલ્લામાં રહેતા સામાજિક કાર્યકર દ્વારા વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
મોરબી નજીકના વીરપર ગામે રહેતા હસમુખભાઈ ગઢવીએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, કચ્છ જિલ્લાના કંડલા બંદરથી મોરબી જિલ્લાના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુના પુલનું નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, ઔદ્યોગિક શહેર મોરબી તેના સિરામિક, ઘડિયાળ, હીરા, પેપર મિલ, પોલીપેક વગેરે જેવા ઉદ્યોગો માટે વિશ્વ પ્રસિદ્ધ છે. અને વાહનવ્યવહાર ઘણો છે. ત્યારે ઔદ્યોગિક ઉત્પાદનોની વિદેશી નિકાસ અને આયાત પણ અહીથી કરવામાં આવે છે ત્યારે કચ્છ અને મોરબીમાં આ પ્રોજેકટના નિર્માણથી વાહનવ્યવહાર સરળ, ઝડપી અને સમય બનશે અને પેટ્રોલ, ડીઝલ અને ગેસની બચત થશે. જેથી કરીને સમયનું મહત્વ સૌથી વધુ કિંમતી છે. ત્યારે કંડલા બંદર ભારતમાં સૌથી લોકપ્રિય પરિવહન છે. ત્યારે આ રિવર બ્રિજથી રોડ ફોર લેન અને નવલખી બંદરનો પણ વિકાસ થશે.