માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૨૧ હજારથી વધુ બાળકો શાળા પ્રવેશ કરશે


SHARE













મોરબી જિલ્લામાં ૨૧ હજારથી વધુ બાળકો શાળા પ્રવેશ કરશે

મોરબી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ અન્વયે જિલ્લાની ૫૮૫ પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમોનું આયોજન કરી આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ મળી કુલ ૨૧,૬૩૮ બાળકો શિક્ષણના એક નવા અધ્યાયમાં પા પા પગલીઓ પાડશે. જ્યારે ધોરણ ૯ માં ૬૪૩૩ બાળકો પ્રવેશ મેળવશે.

સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ એટલે કે ૫૮૫ પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે, ઉપરાંત આંગણવાડીના બાળકોનો પ્રવેશોત્સવ પણ જે તે સંબંધિત શાળાઓમાં કરવામાં આવશે. જેમાં ૪૩૮૬ બાળકો આંગણવાડી, ૮૯૩૯ બાળકો બાલવાટિકાઅને ૮૩૧૩ બાળકો ધોરણ ૧ માં પ્રવેશ મેળવશે.

૧૦૦% નામાંકન માટે દર વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાય છે. જેમાં રાજ્યના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા રાજ્યની તમામ શાળાઓની મુલાકાત ત્રણ દિવસ સુધી લેવામાં આવે છે. જે અન્વયે આ વર્ષે ૨૬, ૨૭ અને ૨૮ જૂન દરમિયન સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ સંદર્ભે કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમના ફળસ્વરૂપે શાળાઓમાં ૧૦૦% નામાંકન સિદ્ધિ પ્રાપ્ત થઇ શકી છે. ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો થયો છે અને શાળામાં સ્થાયીકરણનું પ્રમાણ વધ્યું છે.






Latest News