મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના નાગલપર ગામે પિતાએ ખેતી કામ બાબતે ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના નાગલપર ગામે પિતાએ ખેતી કામ બાબતે ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના નાગલપર ગામની સીમમાં રહેતા યુવાનને તેના પિતાએ ખેતી કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતાં તે યુવાને વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નાગલપર ગામની સીમમાં રહેતા સાગરભાઇ મૈયાભાઇ ગુંદારીયા (25) નામના યુવાને વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને તેના પિતા મૈયાભાઈ વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરતા હેડ કોસ્ટેબલ જે.જી. ઝાલા કરી રહ્યા છે જેથી તેની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનને તેના પિતાએ ખેતી કામ બાબતે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા તેણે વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ખારચિયા ગામે રહેતા દિવ્યરાજસિંહ પરાક્રમસિંહ જાડેજા (24) નામનો યુવાન બાઇક લઈને હજનાળીથી ખારચિયા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેમાં તેને ઈજા થવાથી તે યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે

બાઇક સ્લીપ

મોરબીના પંચાસસ રોડ ઉપર રહેતા બેચરદાસ વશરામભાઈ કંજારીયા (60) નામના વૃદ્ધ મોરબીના ચાચાપર ગામ પાસેથી બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થતાં તેઓને ઈજા થઈ હતી અને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા કરી રહ્યા છે






Latest News