મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે મોટી બહેનના આઘાતમાં નાની બહેને અંતિમ પગલું ભર્યું


SHARE







મોરબીના શનાળા ગામે મોટી બહેનના આઘાતમાં નાની બહેને અંતિમ પગલું ભર્યું

મોરબીના સનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતી મહિલા તેની મોટી બહેનનું બીમારી સબબ મોત નીપજયું હતું તેના આઘાતમાં ગુમસુમ રહેતી હતી અને તેને ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મહિલાના મૃતદેહને તેના પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેમના દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના શક્ત સનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં નાનુભાઈ છગનભાઈ અઘારાના મકાનમાં ભાડે રહેતા વિજયભાઈ ઉધમસિંહ અઘારીયા જાતે દેવીપુજક (25) ના પત્ની પુનમબેન વિજયભાઈ અઘારીયા જાતે દેવીપુજક (25) એ પોતાના ઘરની અંદર નળિયાની આડીમાં સાડી બાંધીને સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને 108 મારફતે તાત્કાલીક તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સરકારી હોસ્પિટલ ખાતે તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મૃતક મહિલાના પતિ વિજયભાઈ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાની મોટી બહેન કાજલબહેનનું ત્રણેક મહિના પહેલા બીમારી સબબ અવસાન થયું હતું ત્યારબાદ મૃતક મહિલાને તેના મોટા બહેન સપનામાં આવતા હતા અને તેની સાથે વાતો કરતા હોય તે ગુમસૂમ રહેતી હતી અને મોટી બહેનના આઘાતમાં તેણે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધા છે તેવું તેના પરિવારજન પાસેથી જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બે બીયર

માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે સ્મશાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 250 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજો કર્યો હતો અને પ્રકાશભાઈ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો ગોરધનભાઈ કેરવાડિયા જાતે કોળી (26) રહે. ઇન્દિરાનગર મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News