વાંકાનેર નજીક બાઇકને હડફેટે લઈને અકસ્માત સર્જી વૃદ્ધનું મોત નિપજાવનાર બાઇક ચાલકે સામે ગુનો નોંધાયો
SHARE
વાંકાનેર નજીક બાઇકને હડફેટે લઈને અકસ્માત સર્જી વૃદ્ધનું મોત નિપજાવનાર બાઇક ચાલકે સામે ગુનો નોંધાયો
વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અન્ય બાઇક ચાલકે ધડાકાભેર તેના બાઈક સાથે વહન અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં વૃદ્ધને ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે અકસ્માત મૃત્યુના બનાવમાં હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક હસનપર રેલવે સ્ટેશનની બાજુમાં રહેતા હકાભાઇ સત્તાભાઈ મુંધવા જાતે ભરવાડ (30)એ હાલમાં બાઈક નંબર જીજે 36 એએચ 0689 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી તેઓના પિતા સત્તાભાઈ પાંચાભાઇ મુંધવા (74) પોતાનું બાઈક નંબર જીજે 3 એએફ 8199 લઈને વાંકાનેરથી હસનપર ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઇવે રોડ ઉપર આવેલી કટ પાસેથી તેના પિતા બાઇકને વણાંક લેતા હતા દરમિયાન આરોપીએ તેનું બાઈક ફુલ સ્પીડમાં ચલાવીને ફરિયાદીના પિતાના બાઈક સાથે અથડાવ્યું હતું જેથી ફરિયાદીના પિતાને માથા અને જમણા પગના સાથળના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે