વાંકાનેરના કોઠી ગામે થયેલ જીવલેણ હુમલાના ગુનામાં એક આરોપીને 10 વર્ષની સજા
મોરબીમાં દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ નવો બનાવવાની માંગ
SHARE
મોરબીમાં દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ નવો બનાવવાની માંગ
મોરબીમાં દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ ભંગાર થઈ ગયેલ છે જેથી આ રોડને નવો બનાવવાની માંગ કરવામાં આવી છે અને મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ચીફ ઓફિસર, કલેક્ટર અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, સેતા ચિરાગભાઈ મનોજભાઇ, રાણેવાડીયા, દેવેશભાઈ મેરૂભાઈ અને મુશાભાઈ બ્લોચ દ્વારા ચીફ ઓફિસર, વહીવટદાર, કલેક્ટર અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે. મોરબીમાં દરબારગઢથી નગરદરવાજા થઈને જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ ભંગાર થઈ ગયેલ છે જેથી આ રોડ નવો બનાવવામાં આવે તેવી માંગ કરી છે
વધુમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપેલ જૂનું વચન યાદ અપાવીને તાત્કાલિક રોડનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે. પૂર્વ કાઉન્સિલર અનીલભાઈ મહેતાએ પણ ચૂંટણી વખતે દરબારગઢથી ગ્રીન ચોક સુધી આરસ પાણાનો રોડ બનાવી દેવાની વાત કહી હતી તો તાત્કાલિક આ રોડ નવો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. વધુમાં જણાવ્યુ છે કે, રોડમાં ખાડાના લીધે વાહનો સ્લીપ થઈ જાય છે અને લોકોને ગંભીર ઈજાઓ થાય છે જેથી તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરવામાં આવે તે જરૂરી છે.