ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ નવો બનાવવાની માંગ


SHARE













મોરબીમાં દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ નવો બનાવવાની માંગ

મોરબીમાં દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ ભંગાર થઈ ગયેલ છે જેથી આ રોડને નવો બનાવવાની માંગ કરવામાં આવી છે અને મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ચીફ ઓફિસર, કલેક્ટર અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, સેતા ચિરાગભાઈ મનોજભાઇ, રાણેવાડીયા, દેવેશભાઈ મેરૂભાઈ અને મુશાભાઈ બ્લોચ દ્વારા ચીફ ઓફિસર, વહીવટદાર, કલેક્ટર અને ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે. મોરબીમાં દરબારગઢથી નગરદરવાજા થઈને જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ ભંગાર થઈ ગયેલ છે જેથી આ રોડ નવો બનાવવામાં આવે તેવી માંગ કરી છે

વધુમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આપેલ જૂનું વચન યાદ અપાવીને તાત્કાલિક રોડનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે. પૂર્વ કાઉન્સિલર અનીલભાઈ મહેતાએ પણ ચૂંટણી વખતે દરબારગઢથી ગ્રીન ચોક સુધી આરસ પાણાનો રોડ બનાવી દેવાની વાત કહી હતી તો તાત્કાલિક આ રોડ નવો બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. વધુમાં જણાવ્યુ છે કે, રોડમાં ખાડાના લીધે વાહનો સ્લીપ થઈ જાય છે અને લોકોને ગંભીર ઈજાઓ થાય છે જેથી તાત્કાલિક આ રોડનું કામ ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. 






Latest News