વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

જો વરસાદી પાણીના નિકાલ જીઆઈડીસી ખોલશે નહીં તો મોરબીના પાનેલી, જાબુંડીયા તથા લખધીરપુર ગામે મોટા નુકશાનની દહેશત


SHARE













જો વરસાદી પાણીના નિકાલ જીઆઈડીસી ખોલશે નહીં તો મોરબીના પાનેલી, જાબુંડીયા તથા લખધીરપુર ગામે મોટા નુકશાનની દહેશત

મોરબીના પાનેલી, જાબુંડીયા તથા લખધીરપુર ગામ પામે બની રહેલ જીઆડીસી દ્વારા બંધ કરવામાં આવેલ વરસાદી પાણીના વહેણો ખોલવામાં નહીં આવે તો આગમી સમયમાં ભારે વરસાદ પડશે તો માનવસર્જિત જળ હોનારત, લોકોના જાનમાલને ખુબ જ મોટું નુક્સાન, ખેડૂતોના ખેતરોમાં પણ નુક્સાન થાય તેવી દહેશત છે છતાં અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી કરતાં નથી તે પણ તપાસનો વિષય છે.

મોરબીના પાનેલી, જાબુંડીયા તથા લખધીરપુર ગામના ગ્રામજનો વતી પરસાડીયા રાજુભાઈ માધાભાઈ (૫૫)એ પ્રાદેશિક મેનેજર જી.આઇ.ડી.સી- રાજકોટને ફરિયાદ કરલે છે જેમાં જણાવ્યુ છે કે, પાનેલીના સર્વે નં-૧૪૦ પૈકીમાથી નીકળતા જાહેર માર્ગ રસ્તા તથા વરસાદી પાણીના વહેણો બંધ કરીને ઔધ્યોગીક પ્લોટીંગ કરીને વેચાણ અર્થે લે-આઉટ પ્લાન શીટ બનાવવામાં આવેલ છે. આવી જ રીતે જાબુંડીયા ગામના સર્વે નં-૧૪૬ પૈકીમાંથી નીકળતા કુદરતી પાણીના વહેણો પણ બુરી નાખવામાં આવેલ છે. અને વોટરબોડિના નીતીનિયમોનું ઉલ્લઘન કરવામાં આવેલ છે. પાનેલીથી શોભેશ્વર મોરબી જતો માર્ગ પણ છેલ્લા સાડા પાંચ મહીનાથી બંધ કરી નાખવામાં આવેલ છે.

જાંબુડીયા સર્વે નંબર ૧૪૬, પાનેલી સર્વે નંબર ૧૪૦/૨ ના કુદરતી વરસાદી પાણીના વોંકળાના વહેણ બંધ કરી નાખવામાં આવ્યા છે તેમજ જાહેર માર્ગો એક બીજા ગામ જવા માટેના બંધ કર્યા છે જેથી કરીને જીઆઇડીસી દ્વારા રસ્તા અને કુદરતી વરસાદી પાણીના નિકાલને ખુલ્લા કરવાની સંપૂર્ણ સત્તા મામલતદાર કોર્ટને છે જેથી કરીને જીઆઇડીસી સામે કેસ દાખલ કરવા તા. ૧૦/૬ થી દાદ માંગી હતી. છતાં આજ દિવસ સુધી કેસ દાખલ કરેલ નથી ?, સ્થળ ઉપર રોજકામ કરવા આવતા નથી, વધુ વરસાદ પડે તો પાનેલીમાં માનવસર્જિત જળ હોનારત થઈ શકે છે. અને લોકોના જાનમાલને ખુબ જ મોટું નુક્સાન થાય તેવી શ્કાયતા છે. આટલું જ નહીં વરસાદી પાણીના લીધે જાંબુડીયા, લખધીરપુર અને પાનેલી ગામના ખેડૂતોના ખેતરોમાં પણ નુક્સાન થાય તેમ છે. 






Latest News