મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં તંત્રની શુધ્ધ પાણી પીવાની સુફિયાણી સલાહ, બંધ ફિલ્ટર હાઉસ ચાલુ કરવાનું તસ્દી લેતા નથી !


SHARE











મોરબીમાં તંત્રની શુધ્ધ પાણી પીવાની સુફિયાણી સલાહ, બંધ ફિલ્ટર હાઉસ ચાલુ કરવાનું તસ્દી લેતા નથી !

ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગોમાં ઉછાળો આવ્યો હોય છે જેને  અટકાવવો ખૂબ જરૂરી છે અને લોકો સ્વયંભૂ કાળજી લે. મોરબી જિલ્લાના ગ્રામ્ય તથા શહેરીજનોને સુરક્ષિત રહે તે માટે પાણીજન્ય રોગોથી બચવા માટે કેટલાક સૂચનો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં શુદ્ધ પાણી પીવાનું કહેવામા આવે છે જો કે, તંત્ર ફિલ્ટર કર્યા વગર જ પાણી આપે છે તેનું શું તે સવાલ ઉઠી રહ્યો છે.

હાલમાં તંત્ર દ્વારા સુરક્ષિત પાણી પીવા માટે કહેવામા આવ્યું છે અને ખાતરી કરો કે તમારું પીવાનું પાણી ટ્રીટેડ અને શુદ્ધ છે. તેમજ પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવે છે જો કે, પાલિકાનો સમાકાંઠે વિસ્તારમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તેનું  શું તે જોવાની તસ્દી કોણ લેશે તે સવાલ ઉઠી રહયો છે. અને દૂષિત પાણીના સ્ત્રોતો તળાવો, નદીઓ અથવા કુવાઓ જેવા અજાણ્યા અથવા અનહાઇજીનીક સ્ત્રોતોમાંથી પીવાનું પાણી ન લેવા માટેની સલાહ આપવામાં આવેલ છે. જો કે, સામાકાંઠા વિસ્તારમાં આવેલ ફિલ્ટર હાઉસની સફાઈ કોણ કરાવશે તે સૌથી મોટો સવાલ છે. તેમજ ફળો અને શાકભાજી ધોઈને ખાવા, કાચા અથવા ઓછા રાંધેલા માંસ, સીફૂડ અને ઈંડાને ટાળો, હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, પાણી શુદ્ધિકરણની ગોળીઓ અથવા ફિલ્ટરનો ઉપયોગ કરો, તબીબની સલાહ બાદ બજારમાં ઉપલબ્ધ કોલેરા, ટાઈફોઈડ અને હેપેટાઈટીસ A જેવા પાણીજન્ય રોગો સામે રસી લેવાનું વિચારો તે સહિતના સુફિયાણી સલાહ આપવામાં આવી છે જો કે, તંત્રની જે બેદરકારી છે તેના માટે કોઇની સામે પગલાં લેવામાં આવશે કે નહીં તે તો આગામી સમયમાં બતાવશે.






Latest News