મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં તંત્રની શુધ્ધ પાણી પીવાની સુફિયાણી સલાહ, બંધ ફિલ્ટર હાઉસ ચાલુ કરવાનું તસ્દી લેતા નથી !


SHARE













મોરબીમાં તંત્રની શુધ્ધ પાણી પીવાની સુફિયાણી સલાહ, બંધ ફિલ્ટર હાઉસ ચાલુ કરવાનું તસ્દી લેતા નથી !

ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગોમાં ઉછાળો આવ્યો હોય છે જેને  અટકાવવો ખૂબ જરૂરી છે અને લોકો સ્વયંભૂ કાળજી લે. મોરબી જિલ્લાના ગ્રામ્ય તથા શહેરીજનોને સુરક્ષિત રહે તે માટે પાણીજન્ય રોગોથી બચવા માટે કેટલાક સૂચનો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં શુદ્ધ પાણી પીવાનું કહેવામા આવે છે જો કે, તંત્ર ફિલ્ટર કર્યા વગર જ પાણી આપે છે તેનું શું તે સવાલ ઉઠી રહ્યો છે.

હાલમાં તંત્ર દ્વારા સુરક્ષિત પાણી પીવા માટે કહેવામા આવ્યું છે અને ખાતરી કરો કે તમારું પીવાનું પાણી ટ્રીટેડ અને શુદ્ધ છે. તેમજ પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવે છે જો કે, પાલિકાનો સમાકાંઠે વિસ્તારમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તેનું  શું તે જોવાની તસ્દી કોણ લેશે તે સવાલ ઉઠી રહયો છે. અને દૂષિત પાણીના સ્ત્રોતો તળાવો, નદીઓ અથવા કુવાઓ જેવા અજાણ્યા અથવા અનહાઇજીનીક સ્ત્રોતોમાંથી પીવાનું પાણી ન લેવા માટેની સલાહ આપવામાં આવેલ છે. જો કે, સામાકાંઠા વિસ્તારમાં આવેલ ફિલ્ટર હાઉસની સફાઈ કોણ કરાવશે તે સૌથી મોટો સવાલ છે. તેમજ ફળો અને શાકભાજી ધોઈને ખાવા, કાચા અથવા ઓછા રાંધેલા માંસ, સીફૂડ અને ઈંડાને ટાળો, હાથને વારંવાર સાબુ અને પાણીથી ધુઓ, પાણી શુદ્ધિકરણની ગોળીઓ અથવા ફિલ્ટરનો ઉપયોગ કરો, તબીબની સલાહ બાદ બજારમાં ઉપલબ્ધ કોલેરા, ટાઈફોઈડ અને હેપેટાઈટીસ A જેવા પાણીજન્ય રોગો સામે રસી લેવાનું વિચારો તે સહિતના સુફિયાણી સલાહ આપવામાં આવી છે જો કે, તંત્રની જે બેદરકારી છે તેના માટે કોઇની સામે પગલાં લેવામાં આવશે કે નહીં તે તો આગામી સમયમાં બતાવશે.






Latest News