ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર નજીક ક્રેઇન સાથે બુલેટ અથડાતાં અકસ્માત: ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં


SHARE













ટંકારાના હીરાપર નજીક ક્રેઇન સાથે બુલેટ અથડાતાં અકસ્માત: ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં

ટંકારા તાલુકાના નેસડા (સુ) ગામે રહેતા વૃદ્ધ બુલેટ લઈને લતીપર રોડ ઉપર હીરાપર ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી લાઈટ આવતા ક્રેઇન ન દેખાવાથી ક્રેઇન સાથે અકસ્માત થયો હતો જેમાં વૃદ્ધને ડાબા પગના ઢીંચણ અને સાથળના ભાગે ફેક્ચર થયેલ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેસડા (સુ) ગામે રહેતા પ્રેમજીભાઈ રામજીભાઈ ભીમાણી જાતે પટેલ (60)એ હાલમાં ક્રેઇન નં. જીજે 12 સીએમ 0632 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ ટંકારાના લતીપર રોડ ઉપર હીરાપર ગામ પહેલા આવેલ તિરૂપતિ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી લાઈટ આવતા તેઓને ક્રેઇન ન દેખાતા તેની સાથે બુલેટ અથડાયું હતું જેથી ફરિયાદીને ડાબા પગના ઢીંચણ અને સાથળના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ હતી માટે તેઓને સારવાર માટે હોસ્પિટકે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ક્રેઇનના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધકાવાળી મેલડી માતાના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો.આ બનાવની અંદર ગીતાબેન રાજેશભાઈ ટોયટા (ઉમર 32) રહે.લાયન્સનગર સેન્ટ મેરી સ્કૂલ નજીક વાળાઓને ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવ બાદ તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિ઼લ દ્રારા પોલીસમાં જાણ કરાતા સ્ટાફના હરેશભાઈ ચાવડાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ કરી હતી.






Latest News