ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નકલી બીયારણ અને જંતુનાશક દવાનું વેચાણ રોકવા ચેકિંગ કરવાની માંગ


SHARE













મોરબી જીલ્લામાં નકલી બીયારણ અને જંતુનાશક દવાનું વેચાણ રોકવા ચેકિંગ કરવાની માંગ

મોરબીમાં નકલી બીયારણ, નકલી જંતુનાશક દવાનું વેચાણ કરવામાં આવતું હોવાનું અગાઉ સામે આવ્યું છે ત્યારે હાલમાં વવાનીની સિઝન છે ત્યારે નકલી બીયારણ, નકલી જંતુનાશક દવાનું વેચાણ ન થયા તે માટે ચેકિંગ કરવા માટે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ડીડીઓને રજૂઆત કરેલ છે.

ચોમાસાની સીઝનમાં અત્યાર સુધીમાં વાવણી લાયક વરસાદ થયેલ છે જેથી કરીને ખેડૂતો ખેતી કામ શરૂ કર્યું છે ત્યારે મોરબીમાં અગાઉ નકલી ખાતર, નકલી બીયારણ, જંતુનાશક દવાનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને ઘણી વખત આ નકલી બીયારણ, નકલી જંતુનાશક દવાના લીધે ખેડૂતોના પાકને પણ નુકશાન થાય છે અને તેઓની મહેનત અફળ જાય છે આટલું જ નહીં તેઓને આર્થિક નુકશાન પણ સહન કરવું પડે છે ત્યારે મોરબી જિલ્લાના ડીડીઓને ગ્રાહક સુરક્ષા મંડળના મોરબી શહેર અને જિલ્લાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા આ બાબતે રજૂઆત કરવામાં આવી છે અને મોરબી જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા ખોરાક અને ઔષધ વિભાગના અધિકારીને સૂચના આપવામાં આવે અને દરેક જંતુનાશક દવાની દુકાનની તલાસી લઇ નકલી વસ્તુ શોધવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News