મોરબીમાં મુખ્યમંત્રીના આગમન પહેલા કોંગ્રેસનાં આગેવાનો ઓફિસ-ઘરે નજર કેદ મોરબી : રાજકોટ હાઇવે ઉપર અકસ્માતમાં ઇજા થતા ચાર લોકો સારવારમાં મોરબી નજીક સીરામીક કારખાનામાં પાણીના ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબીના પ્રાંત અધિકારી સમક્ષ 602 વાળી જમીન માટે બેચર ડુંગરના બે મરણના દાખલા-બે ચતુર દિશા દર્શાવતુ રેકર્ડ આવ્યું તો ખરાઈ કેમ ન કરાવી ?: અધિકારીઓમાં ચર્ચા મોરબીમાં ચોકલેટ દઈને મોબાઈલ બતાવવાની લાલચ આપીને 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મોરબીમાં આજે મુખ્યમંત્રીની હાજરીમાં 900 કરોડ થી વધુના વિકાસ કાર્યોનું કરાશે લોકાર્પણ-ખાતમહુર્ત ગોલમાલ: મોરબીમાં વિવાદિત 602 વાળી જમીનના બોગસ વેચાણ દસ્તાવેજની એન્ટ્રી નામંજૂર કર્યા ના 14 દિવસે કોપી મળી ! મોરબીમાં મહારાણા પ્રતાપ સોસાયટી પાસે સર્વિસ રોડ ઉપર એસિડ જેવું કેમિકલ ભરેલ ટેન્કર પલટી મરી ગયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે નીકળતી 765 કેવીની હેવી વીજ લાઇનમાં કંપની પૂરું વળતર ન આપે તો હવે ઉગ્ર આંદોલન: ખેડૂતોની ચીમકી


SHARE











માળીયા (મી)ના ખાખરેચી ગામે નીકળતી 765 કેવીની હેવી વીજ લાઇનમાં કંપની પૂરું વળતર ન આપે તો હવે ઉગ્ર આંદોલન: ખેડૂતોની ચીમકી

મોરબી જિલ્લામાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી લાઇન પસાર થાય છે અને જે ખેડૂતોના ખેતરમાંથી આ લાઇન નીકળે છે તેને કંપની તરફથી ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે જેથી આજે માળીયા (મી) તાલુકાનાં ખાખરેચી ગામે કંપની દ્વારા પોલીસ બદોબસ્ત સાથે કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે ગામના આગેવાનો સહિત 100 થી વધૂ લોકો એકત્રિત થયા હતા અને જો પૂરું વળતર કંપની દ્વારા નહીં આપવામાં આવે તો આગમી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

કચ્છના લાકડીયાથી અમદાવાદ તરફ 765 કેવી ની વીજ લાઇન પથરવાનું કામ હાલમાં પાવર ગ્રીડ કરવામાં આવી રહ્યું છે અને તેની સામે અગાઉ પણ ખેડૂતો દ્વારા વળતર બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો તો પણ કંપનીએ ખેડૂતોને પૂરતું વળતર આપેલ નથી. અને તેવામાં માળીયા(મી.) તાલુકાના ખાખરેચી ગામ પાસે કંપની વાળાએ હાલમાં પોલીસ પ્રોટેકશન અને એસઆરપીના બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઇ પારેજીયા સહિતના ગામના ખેડૂતો સ્થળ ઉપર એકત્રિત થયા હતા અને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તો પણ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને પૂરું વળતર આપવામાં આવી રહ્યું નથી અને અગાઉ વર્ષ 2021 માં જે વળતર આપવામાં આવ્યું હતું. તેનાથી પણ ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે. ત્યારે અસરગ્રસ્ત ખેડૂતને કંપની તરફથી પૂરું વળતર કેમ આપવામાં વતું નથી તે સૌથી મોટો સવાલ છે. અને સૌથી મોટી વાતએ છે કે, ખેડૂતોને કોઈ સાંભળતું પણ નથી ત્યારે વીજ લાઇન પથરવાનું કામ કરતી કંપની દ્વારા જો વળતર પૂરું નહીં આપવામાં આવે તો આગમી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ખાખરેચી ગામના ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે.






Latest News