ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે નીકળતી 765 કેવીની હેવી વીજ લાઇનમાં કંપની પૂરું વળતર ન આપે તો હવે ઉગ્ર આંદોલન: ખેડૂતોની ચીમકી


SHARE













માળીયા (મી)ના ખાખરેચી ગામે નીકળતી 765 કેવીની હેવી વીજ લાઇનમાં કંપની પૂરું વળતર ન આપે તો હવે ઉગ્ર આંદોલન: ખેડૂતોની ચીમકી

મોરબી જિલ્લામાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી લાઇન પસાર થાય છે અને જે ખેડૂતોના ખેતરમાંથી આ લાઇન નીકળે છે તેને કંપની તરફથી ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે જેથી આજે માળીયા (મી) તાલુકાનાં ખાખરેચી ગામે કંપની દ્વારા પોલીસ બદોબસ્ત સાથે કામ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે ગામના આગેવાનો સહિત 100 થી વધૂ લોકો એકત્રિત થયા હતા અને જો પૂરું વળતર કંપની દ્વારા નહીં આપવામાં આવે તો આગમી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

કચ્છના લાકડીયાથી અમદાવાદ તરફ 765 કેવી ની વીજ લાઇન પથરવાનું કામ હાલમાં પાવર ગ્રીડ કરવામાં આવી રહ્યું છે અને તેની સામે અગાઉ પણ ખેડૂતો દ્વારા વળતર બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો તો પણ કંપનીએ ખેડૂતોને પૂરતું વળતર આપેલ નથી. અને તેવામાં માળીયા(મી.) તાલુકાના ખાખરેચી ગામ પાસે કંપની વાળાએ હાલમાં પોલીસ પ્રોટેકશન અને એસઆરપીના બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરી છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઇ પારેજીયા સહિતના ગામના ખેડૂતો સ્થળ ઉપર એકત્રિત થયા હતા અને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે તો પણ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને પૂરું વળતર આપવામાં આવી રહ્યું નથી અને અગાઉ વર્ષ 2021 માં જે વળતર આપવામાં આવ્યું હતું. તેનાથી પણ ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે. ત્યારે અસરગ્રસ્ત ખેડૂતને કંપની તરફથી પૂરું વળતર કેમ આપવામાં વતું નથી તે સૌથી મોટો સવાલ છે. અને સૌથી મોટી વાતએ છે કે, ખેડૂતોને કોઈ સાંભળતું પણ નથી ત્યારે વીજ લાઇન પથરવાનું કામ કરતી કંપની દ્વારા જો વળતર પૂરું નહીં આપવામાં આવે તો આગમી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ખાખરેચી ગામના ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે.






Latest News