મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમયાત્રામાં રાજ્યમંત્રી સહિતના જોડાયા વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકોને નિઃશુલ્ક RTE ફોર્મ ભરી આપવામાં આવશે મોરબી જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાપાલિકાની બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં એટ્રોસિટી સહિતના કેસોમાં ખોટી ફરિયાદ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ


SHARE











મોરબી જિલ્લામાં એટ્રોસિટી સહિતના કેસોમાં ખોટી ફરિયાદ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ

મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ એસપી કચેરીએ આવીને આવેદનપત્ર આપ્યું છે અને જીલ્લામાં તેમના જ સમાજના અમુક લોકો ખોટી ફરિયાદો કરીને પૈસા પડાવવાનું કૃત્ય કરે છે. જેથી સમાજ પ્રત્યે લોકોને ધૃણા અને તિરસ્કાર ઉભો થયો છે. તેવી રજૂઆત કરી હતી અને મોરબી જિલ્લામાં એટ્રોસિટી સહિતના કેસોમાં ખોટી ફરિયાદોની સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબી જિલ્લા અનુ. જાતિ સમાજના લોકોએ એસપીને જે આવેદનપત્ર આપ્યું છે તેમાં જણાવ્યુ છે કે, તેમના સમાજના અમુક લોકો દ્વારા સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓ ઉપર ખોટી ફરિયાદો અને એટ્રોસિટીનાં કેસ કરી બ્લકમેલ કરી પૈસા પડાવવાનો ધંધો કરે છે. અને આવા લોકોની ખોટી ફરિયાદોના કારણે સમાજ-સમાજ વચ્ચે વૈમનશ્ય ફેલાય રહ્યું છે. અને હાલમાં જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં ખોટી ફરિયાદ કરનારની નામ જોગ રજૂઆત કરવામાં આવી છે અને તેમના દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તેની સમીક્ષા કરી ખોટી ફરિયાદ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે. આટલું જ નહીં પરંતુ વારંવાર ફરિયાદો કરનારની કોઈપણ ફરિયાદ લેતા પહેલા પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે.






Latest News