મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં મંજૂરી વગર બની ગયેલા મકાનોમાં વીજ જોડાણ આપવા ઉર્જા મંત્રીને ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆત


SHARE











મોરબીમાં મંજૂરી વગર બની ગયેલા મકાનોમાં વીજ જોડાણ આપવા ઉર્જા મંત્રીને ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆત

મોરબીમાં શ્રમીક અને મધ્યવર્ગના લોકોને બનાવેલ નાના મકાનને લાઇટ અને પાણીની સુવિધા આપવા માટે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ દ્વારા રાજ્યના ઉર્જા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, રાજકોટ અગ્નિકાંડ બન્યો પછી સરકારથી કડકાઇ કરે છે. તે જરૂરી છે જો કે, મોરબીમાં છેલ્લા પાંચ વર્ષથી કોઇપણ મકાન નવા બનાવવા માટે પાલીકાએ મંજુરી આપેલ નથી. હવે પરીસ્થીતી એવી છે કે, મોરબી કલેકટરે પરીપત્ર કરીને જી.ઇ.બી.ને બાંધાકમની મંજુરી વગર કનેકશન આપવા નહીં તેવો આદેશ કરેલ છે

જેથી હાલમાં શ્રમીકો અને મધ્યમ વર્ગના લોકોએ સીંગલીયા મકાન લીધા પછી વીજ કનેકશન આપવાની અધિકારી દ્વારા ના પાડવામાં આવે છે. જો છથી સાત માળની બિલ્ડીંગ હોય તો તેમાં ફાયર સેફટી જરૂરી છે. પરંતુ સિંગલિયા મકાનમાં લોકોને હેરાન કરવામાં આવે તે યોગ્ય નથી અને હાલમાં મોરબીમાં ઘણી જગ્યાએ મકાન બની ગયા છે પરંતુ વીજ જોડાણ ન મળવાના લીધે લોકોને ગરમીમાં રહેવું પડે છે. અને મધ્યમ વર્ગના લોકો હેરાન છે. તેમજ હાઇકોર્ટ પણ જણાવે છે કે, કોઇપણ વ્યકિતનું મકાન બને એટલે તેને પાણી, લાઇટની સુવિધા આપવી સરકારની ફરજ છે. જેથી તેનો અમલ મોરબીમાં કરવામાં આવે તે જરૂરી છે.






Latest News