મોરબીમાં છબીલ-ન્યાજમાં બરફનો ઉપયોગ ન કરવા શહેર ખતિબનું સૂચન
SHARE
મોરબીમાં છબીલ-ન્યાજમાં બરફનો ઉપયોગ ન કરવા શહેર ખતિબનું સૂચન
સૌરાષ્ટ્રમાં કોલેરા જેવી બીમારીઓ ફેલાય નહીં તે માટે બરફનો ઉપયોગ ન કરવાનું તંત્ર દ્વારા કહેવામા આવી રહ્યું છે ત્યારે મોહરમ નિમિતે મોરબી શહેર અને જીલ્લામાં છબીલ તથા ન્યાજ (પ્રસાદ) નું આયોજન કરવામાં આવે તેમાં બરફનો ઉપયોગ ન કરવા તેમજ સફાઈ રાખવા માટે શહેર ખતિબ દ્વારા સૂચન આપવામાં આવી છે.
મોરબીના તમામ સુન્ની મુસ્લિમ ભાઈઓને મોહરમ મહિનો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ઇમામ હુસેન કરબલાની યાદમાં જુદાજુદા વિસ્તારમાં છબીલ તથા ન્યાજ (પ્રસાદ) નું આયોજન કરવામાં આવે છે એટલે કે, પ્રશાસન તરફથી આ વર્ષે સૌરાષ્ટ્રમાં કોલેરા જેવી બીમારીઓ ફેલાય નહીં તેના માટે બરફનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. જેથી કરીને ન્યાજ કરવા વાળા બરફને દૂધ કોલ્ડ્રીંક તથા સરબત ઠંડુ કરવા માટે ન ઉપયોગ કરે અને બરફને બરફ રાખીને ઠંડુ કરવું અને સાફ સફાઈ પણ સરખી રાખવી તેમજ છબીલ કરવા વાળા પ્રશાસન તરફથી મંડપ લગાવવાની મંજૂરી મામલતદાર કચેરીથી મેળવી લેવી અને રોડ રસ્તા ઉપર ટ્રાફિકને નડતર રૂપ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું તેવું મોરબી શહેર ખતિબ સૈયદ અબ્દુલ રસીદમીયા બાપુ હાજી મદનીમીયા બાપુ કાદરી ઉલ જીલ્લાનીએ જણાવ્યુ છે.









