લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

હળવદમાં લાભ કોમ્પલેક્ષની સામે બાવળની જાળીમાં 12 બોટલ દારૂ-77 બીયરના ટીન ઝડપાયા, બુટલેગરની શોધખોળ


SHARE

















હળવદમાં લાભ કોમ્પલેક્ષની સામે બાવળની જાળીમાં 12 બોટલ દારૂ-77 બીયરના ટીન ઝડપાયા, બુટલેગરની શોધખોળ

હળવદમાં આવેલ લાભ કોમ્પલેક્ષની સામેના ભાગમાં બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી બિયરના 77 ટીન તથા 12 બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે 11,900 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે, આરોપી હાજર ન હોય તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

 

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદમાં રિલાયન્સના પેટ્રોલ પંપની સામેના ભાગમાં આવેલ લાભ કોમ્પલેક્ષમાં દુકાન નં. 25 સામે બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતાં સ્થળ ઉપરથી બિયરના 77 ટીન તથા દારૂની 12 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે કુલ મળીને 11,900 નો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો. અને આ દારૂનો જથ્થો અંકિતભાઈ નરેન્દ્રભાઈ રામાવત જાતે બાવાજી રહે. નાલંદા સ્કૂલ આગળ શિવાલિકા સોસાયટી હળવદ વાળાનો હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના આ બનાવમાં વિષ્ણુ ભીખુભાઈ સારદિયા (18) અને ભીખાભાઈ ઉકાભાઇ સારદિયા (40) નામના બે વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી, જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે લીલીયન્ટ સેનેટરી નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો મુકેશ ચંદુભાઈ રાઠવા (32) નામના યુવાનને ત્યાં મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યા સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.




Latest News