મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર, માળીયા, ટંકારા, હળવદમાં આજે તાજિયા પડમાં આવશે


SHARE













મોરબી, વાંકાનેર, માળીયા, ટંકારા, હળવદમાં આજે તાજિયા પડમાં આવશે

મોરબી, વાંકાનેર, માળીયા સહિત જીલ્લામાં ઈસ્લામ ધર્મમાં 'ઇદ' એ આનંદ-ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ ક્રુરત ઈમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની યાદમાં મનાવાતો શોકનો તહેવાર છે. દસ દિવસીય આ પર્વ દરમિયાન મુસ્લિમ સમાજ અમુક નિયમોનું ખાસ પાલન કરે છે અને રોજા રાખે છે.

કરબલાની દુઃખદ ઘટના આજથી આશરે ૧૪૦૦ વર્ષ પૂર્વે બની હતી. અને પયગમ્બરે ઈસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલ્લાના નવાસા દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અલહિસ્સલામે પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી. આમ શહીદોની યાદમાં મનાવાતા આ પર્વમાં મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળીયામાં મુસ્લિમ સમાજે પણ બંદગી કરે છે અને પાંચેય તાલુકામાં દર વર્ષે કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે જે આજે રાતે પડમાં આવશે અને શહેરનાં મુખ્ય વિસ્તારોમાં તાજિયા ઝુલુસ નીકળશે અને ત્યારે મુસ્લિમ પરિવારો રોજા સહિત અન્ય માનતાઓ ભાવપૂર્ણ પૂરી કરશે અને આવતી કાલે તા 17/7 ના રોજ તાજિયા ઠંડા પડશે. અત્રે ઉલેખનીય છે કે, મોરબી શહેરમાં દર વર્ષ ૧૧ તાજિયા નીકળે છે. જે દર વર્ષે મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં આવે છે અને ત્યાં તાજિયા આવ્યા બાદ તમામ તાજિયા ઠંડા પડશે.






Latest News