મોરબીમાં ઓફિસમાં ઘૂસીને પત્રકાર તરીકેની ઓળખ આપીને બદનામ કરવાની-ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી !: એક લાખની માંગણી કરી હોવાની ત્રણ સામે ફરિયાદ માળીયા (મી)ના સરદારનગર પાસે વાહનની રાહ જોઈને ઉભેલા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરમાં ઘરે એસિડ પી ગયેલ મહિલાને ઝાડા-ઉલટી થઈ જતાં સારવારમાં મોત મોરબીના મોડપર નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા વાંકાનેરના યુવાનનું મોત મોરબીમાં ઘર પાસે બેઠેલા યુવાનને માથામાં પથ્થર મરનારા શખ્સની સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: વાંકાનેરના ગારિડા ગામ નજીક અજાણ્યા યુવાન અને દિવાનપરામાં દુકાનની અંદર આધેડે કર્યો આપઘાત વાંકાનેરના હસનપર નજીક ટ્રેક્ટર ચાલકે બાઈકને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત મોરબીના શનાળા ગામ પાસે કારખાનામાં ડોક ઉપર મશીન પડતા આધેડ ભાગીદારનું માથું ધડથી અલગ થઈ જતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર, માળીયા, ટંકારા, હળવદમાં આજે તાજિયા પડમાં આવશે


SHARE













મોરબી, વાંકાનેર, માળીયા, ટંકારા, હળવદમાં આજે તાજિયા પડમાં આવશે

મોરબી, વાંકાનેર, માળીયા સહિત જીલ્લામાં ઈસ્લામ ધર્મમાં 'ઇદ' એ આનંદ-ઉલ્લાસનો તહેવાર છે. જયારે મોહરમ એ ક્રુરત ઈમામ હુસૈન અને અન્ય કરબલાના શહીદોની યાદમાં મનાવાતો શોકનો તહેવાર છે. દસ દિવસીય આ પર્વ દરમિયાન મુસ્લિમ સમાજ અમુક નિયમોનું ખાસ પાલન કરે છે અને રોજા રાખે છે.

કરબલાની દુઃખદ ઘટના આજથી આશરે ૧૪૦૦ વર્ષ પૂર્વે બની હતી. અને પયગમ્બરે ઈસ્લામ હજરત મોહમ્મદુર્રસૂલ્લાના નવાસા દોહિત્ર હઝરત ઇમામ હુસૈન અલહિસ્સલામે પોતાના બોતેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી હતી. આમ શહીદોની યાદમાં મનાવાતા આ પર્વમાં મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ અને માળીયામાં મુસ્લિમ સમાજે પણ બંદગી કરે છે અને પાંચેય તાલુકામાં દર વર્ષે કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે જે આજે રાતે પડમાં આવશે અને શહેરનાં મુખ્ય વિસ્તારોમાં તાજિયા ઝુલુસ નીકળશે અને ત્યારે મુસ્લિમ પરિવારો રોજા સહિત અન્ય માનતાઓ ભાવપૂર્ણ પૂરી કરશે અને આવતી કાલે તા 17/7 ના રોજ તાજિયા ઠંડા પડશે. અત્રે ઉલેખનીય છે કે, મોરબી શહેરમાં દર વર્ષ ૧૧ તાજિયા નીકળે છે. જે દર વર્ષે મોરબીના નહેરુ ગેઇટ ચોકમાં આવે છે અને ત્યાં તાજિયા આવ્યા બાદ તમામ તાજિયા ઠંડા પડશે.








Latest News