મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના અણિયારી ગામે વાડીએ મહિલા-રવાપર નદી ગામે કારખાનામાં યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીના અણિયારી ગામે વાડીએ મહિલા-રવાપર નદી ગામે કારખાનામાં યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના અણીયારી ગામે વાડીએ મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ હતો જ્યારે મોરબીના રવાપર નદી ગામે કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે જે બંને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બંને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અણીયારી ગામની સીમમાં ઠાકરશીભાઈની વાડીએ ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા લીલાબેન બહાદુરભાઇ ભાભોર (23) નામની મહિલાએ તા. 18/7/24 ના વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં વાડીએ કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના ડેડબોડીને તેના પતિ બહાદુરભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ચાર વર્ષનો છે અને તેને બે વર્ષનો દીકરો છે જોકે, મૃતક મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ પીએસઆઇ ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે.

જ્યારે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવાપર નદી ગામે આવેલ સીમ વોલીવુડ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતા સંજયરાય આનંદરાય રાવ (20) નામના યુવાને ગઈકાલે સવારે 8:30 વાગ્યાના અરસામાં પોતાના લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વિમલભાઈ મોતીભાઈ કાસુન્દ્રા રહે. આલાપ રોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ યુવાને ક્યાં કરણોસર આપઘાત કર્યો છે. તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News