ટંકારાના હરબટીયાળીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સની 17,400 ની રોકડ સાથે ધરપકડ
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા બે મહિનાથી ગુમ
SHARE
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા બે મહિનાથી ગુમ
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા બે મહિના પહેલા ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જે ગુમ થયેલ પરણીતાના પતિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવેલ છે. જેના આધારે પોલીસે ગુમ થયેલ પરણીતાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ બળવંતસિંહ જાડેજા જાતે દરબાર (55)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓના પત્ની શીતલબા યુવરાજસિંહ જાડેજા જાતે દરબાર (46) ગુમ થયા હોવાની ગુમસુધા ફરિયાદ આપેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. 19/5/24 ના સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેઓના પત્ની ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે. અને હજુ સુધી તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગેલ નથી. જેથી કરીને ગુમ થયેલ પરણીતાના પતિએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપેલ છે. જેના આધારે પોલીસે મહિલાની શોધખોળ હાથ કરી છે