મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા બે મહિનાથી ગુમ


SHARE













મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા બે મહિનાથી ગુમ

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતી પરણીતા બે મહિના પહેલા ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જે ગુમ થયેલ પરણીતાના પતિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવેલ છે. જેના આધારે પોલીસે ગુમ થયેલ પરણીતાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ બળવંતસિંહ જાડેજા જાતે દરબાર (55)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓના પત્ની શીતલબા યુવરાજસિંહ જાડેજા જાતે દરબાર (46) ગુમ થયા હોવાની ગુમસુધા ફરિયાદ આપેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. 19/5/24 ના સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેઓના પત્ની ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે. અને હજુ સુધી તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી તેનો પત્તો લાગેલ નથી. જેથી કરીને ગુમ થયેલ પરણીતાના પતિએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપેલ છે. જેના આધારે પોલીસે મહિલાની શોધખોળ હાથ કરી છે








Latest News