વાંકાનેર શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા ભારે વાહનોની પ્રવેશબંધી
મોરબીમાં કિન્નરોને શારીરિક-માનસિક ત્રાસ, મારી નાખવાની ધમકી
SHARE
મોરબીમાં કિન્નરોને શારીરિક-માનસિક ત્રાસ, મારી નાખવાની ધમકી
મોરબીમાં કિન્નરોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને તેને ધમકીઓ આપવામાં આવે છે જેથી કરીને કિનારો દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મોરબી બહારના કિન્નર સમાજના માથાભારે ઈસમો સામે ફરિયાદ લઈને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
મોરબીમાં કિન્નર સમાજ દ્વારા હાલમાં મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશને લેખિત અરજી ફરિયાદ આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, જામનગર, ગોંડલ, રાજકોટ, પડધરી સહિતના સ્થળોએ રહેતા ૧૧ જેટલા કિન્નર સમાજના ઇસમો તેઓને હેરાન પરેશાન કરે છે અને સામાવાળાઓ પણ કિન્નર સમાજના છે. જે ખોટી રીતે હેરાન કરીને ધમકી આપે છે. જેથી ગોધરા, મોરબી અને ચોટીલાના કિન્નર સમાજના અરજદારોએ સામાવાળાઓની સામે અગાઉ પણ રાજકોટમાં ગુનો દાખલ થયેલ છે ત્યારે તેઓની સામે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.
વધુમાં માહિતી આપતા અરજદારોએ જણાવ્યુ હતું કે, તેઓને ટેલીફોનીક ધમકી આપવામાં આવે છે અને “તમે ગોધરા કે અન્ય કોઈપણ સ્થળે ગુજરાત કે ગુજરાત બહાર સંમેલનમાં ભેગા થશો તો તમારા ઉપર હિંસક હુમલો કરાવીશું” અમારા સમાજમાં કોઈ જાતિનો ભેદભાવ હોતો નથી ચુસ્ત સનાનત ધર્મ નિભાવીએ છીએ. છતાં સામાવાળાઓ ખોટી રીતે અપમાનજનક શબ્દો બોલે છે અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપે છે. અને કિન્નર સમાજ છોડીને જતા રહો નહીં તો મારી નાખવાની ધમકી આપે છે.