હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કિન્નરોને શારીરિક-માનસિક ત્રાસ, મારી નાખવાની ધમકી


SHARE











મોરબીમાં કિન્નરોને શારીરિક-માનસિક ત્રાસ, મારી નાખવાની ધમકી

મોરબીમાં કિન્નરોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને તેને ધમકીઓ આપવામાં આવે છે જેથી કરીને કિનારો દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મોરબી બહારના કિન્નર સમાજના માથાભારે ઈસમો સામે ફરિયાદ લઈને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબીમાં કિન્નર સમાજ દ્વારા હાલમાં મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશને લેખિત અરજી ફરિયાદ આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, જામનગર, ગોંડલ, રાજકોટ, પડધરી સહિતના સ્થળોએ રહેતા ૧૧ જેટલા કિન્નર સમાજના ઇસમો તેઓને હેરાન પરેશાન કરે છે અને સામાવાળાઓ પણ કિન્નર સમાજના છે. જે ખોટી રીતે હેરાન કરીને ધમકી આપે છે. જેથી ગોધરા, મોરબી અને ચોટીલાના કિન્નર સમાજના અરજદારોએ સામાવાળાઓની સામે અગાઉ પણ રાજકોટમાં ગુનો દાખલ થયેલ છે ત્યારે તેઓની સામે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

વધુમાં માહિતી આપતા અરજદારોએ જણાવ્યુ હતું કે, તેઓને ટેલીફોનીક ધમકી આપવામાં આવે છે અને તમે ગોધરા કે અન્ય કોઈપણ સ્થળે ગુજરાત કે ગુજરાત બહાર સંમેલનમાં ભેગા થશો તો તમારા ઉપર હિંસક હુમલો કરાવીશું અમારા સમાજમાં કોઈ જાતિનો ભેદભાવ હોતો નથી ચુસ્ત સનાનત ધર્મ નિભાવીએ છીએ. છતાં સામાવાળાઓ ખોટી રીતે અપમાનજનક શબ્દો બોલે છે અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપે છે. અને કિન્નર સમાજ છોડીને જતા રહો નહીં તો મારી નાખવાની ધમકી આપે છે.






Latest News