વાંકાનેર નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં ઘરમાંથી 22 બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ, 1.18 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબીમાં વાહનોના પસંદગીના નંબર મેળવવા માટે ઓનલાઇન ઈ-ઓક્શન પ્રક્રિયાનો પ્રારંભ મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં કિન્નરોને શારીરિક-માનસિક ત્રાસ, મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં કિન્નરોને શારીરિક-માનસિક ત્રાસ, મારી નાખવાની ધમકી

મોરબીમાં કિન્નરોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને તેને ધમકીઓ આપવામાં આવે છે જેથી કરીને કિનારો દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મોરબી બહારના કિન્નર સમાજના માથાભારે ઈસમો સામે ફરિયાદ લઈને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબીમાં કિન્નર સમાજ દ્વારા હાલમાં મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશને લેખિત અરજી ફરિયાદ આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, જામનગર, ગોંડલ, રાજકોટ, પડધરી સહિતના સ્થળોએ રહેતા ૧૧ જેટલા કિન્નર સમાજના ઇસમો તેઓને હેરાન પરેશાન કરે છે અને સામાવાળાઓ પણ કિન્નર સમાજના છે. જે ખોટી રીતે હેરાન કરીને ધમકી આપે છે. જેથી ગોધરા, મોરબી અને ચોટીલાના કિન્નર સમાજના અરજદારોએ સામાવાળાઓની સામે અગાઉ પણ રાજકોટમાં ગુનો દાખલ થયેલ છે ત્યારે તેઓની સામે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

વધુમાં માહિતી આપતા અરજદારોએ જણાવ્યુ હતું કે, તેઓને ટેલીફોનીક ધમકી આપવામાં આવે છે અને તમે ગોધરા કે અન્ય કોઈપણ સ્થળે ગુજરાત કે ગુજરાત બહાર સંમેલનમાં ભેગા થશો તો તમારા ઉપર હિંસક હુમલો કરાવીશું અમારા સમાજમાં કોઈ જાતિનો ભેદભાવ હોતો નથી ચુસ્ત સનાનત ધર્મ નિભાવીએ છીએ. છતાં સામાવાળાઓ ખોટી રીતે અપમાનજનક શબ્દો બોલે છે અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપે છે. અને કિન્નર સમાજ છોડીને જતા રહો નહીં તો મારી નાખવાની ધમકી આપે છે.








Latest News