મોરબીના સરતાનપર રોડે કારખાનાની લેબર કોલોનીમાંથી સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત
SHARE
મોરબીના સરતાનપર રોડે કારખાનાની લેબર કોલોનીમાંથી સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત
મોરબીના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનાની લેબર કોલોનીમાંથી બેભાન હાલતમાં મહિલાને સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ વરમોરા યુનિટ-2 ની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા બાલેમાદેવી જગમોહન બીરશા તીયુ જાતે આદીવાસી (24) કોઈ કારણોસર બેભાન થઈ જતા તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની પ્રાથમિક તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એલ.એ. ભરગા દ્વારા કરવામાં આવી હતી
દવા પી લીધી
મોરબીમાં ગાંધી સોસાયટીમાં રહેતા કલ્પેશ ત્રિકમભાઈ સોલંકી (23) નામના યુવાને રેલ્વે સ્ટેશન પાસે કોઈ કારણોસર દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી