મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે
Breaking news
Morbi Today

મોરબી શહેરના પ્રશ્નો-સમસ્યા ઉકેલવા હવે કલેક્ટર, ધારાસભ્ય, વહીવટદાર અને ચીફ ઓફિસર પાલિકામાં હાજર રહેશે


SHARE













મોરબી શહેરના પ્રશ્નો-સમસ્યા ઉકેલવા હવે કલેક્ટર, ધારાસભ્ય, વહીવટદાર અને ચીફ ઓફિસર પાલિકામાં હાજર રહેશે

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી લગભગ દરરોજની એક ફરિયાદ સાથે લોકોના ટોળાં પાલિકામાં આવે છે ત્યારે લોકોના પ્રશ્નો તાત્કાલિક ઉકેલાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી પાલિકાને લગતી ફરિયાદો અને પ્રશ્નો સાંભળવા માટે અને પ્રશ્નોના નિકાલ કરવા કલેક્ટર, ધારાસભ્ય, વહીવટદાર અને ચીફ ઓફિસર કયારે હાજર હશે તેની માહિતી પાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે.

મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવી તેને લગભગ ૧૫ મહિનાથી પણ વધુ સમય થૈ ગયેલ છે અને હાલમાં વહીવટદાર અને ચીફ ઓફિસર થકી પાલિકાના રૂટિન કામનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે ત્યારે રોજે કોઈને કોઈ વિસ્તારમાંથી ફરિયાદ આવે છે જેથી કરીને લોકોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે તેના માટે પાલિકામાં કયા અધિકારી અને પદાધિકારીએ કયારે હાજર રહેશે તેનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે.

હવેથી દર મંગળવારે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ ચીફ ઓફિસર તથા મોરબી જિલ્લાના કલેકટર મોરબી પાલિકા કચેરી ખાતે હાજર રહેશે. દર બુધવારે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ વહીવટદાર પાલિકા કચેરીમાં હાજર રહેશે. દર શુક્રવારે બપોરે ૪:૦૦ થી ૬:૦૦ ચીફ ઓફિસર તથા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેશે. અને દર મહિનાના પ્રથમ તથા ત્રીજા શનિવારે બપોરે ૪:૦૦ થી ૬:૦૦ ચીફ ઓફિસર હાજર રહેશે. જો કે, અધિકારી અને પદાધિકારી હાજર રહ્યા પછી લોકોના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલાશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.




Latest News