ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી શહેરના પ્રશ્નો-સમસ્યા ઉકેલવા હવે કલેક્ટર, ધારાસભ્ય, વહીવટદાર અને ચીફ ઓફિસર પાલિકામાં હાજર રહેશે


SHARE













મોરબી શહેરના પ્રશ્નો-સમસ્યા ઉકેલવા હવે કલેક્ટર, ધારાસભ્ય, વહીવટદાર અને ચીફ ઓફિસર પાલિકામાં હાજર રહેશે

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી લગભગ દરરોજની એક ફરિયાદ સાથે લોકોના ટોળાં પાલિકામાં આવે છે ત્યારે લોકોના પ્રશ્નો તાત્કાલિક ઉકેલાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી પાલિકાને લગતી ફરિયાદો અને પ્રશ્નો સાંભળવા માટે અને પ્રશ્નોના નિકાલ કરવા કલેક્ટર, ધારાસભ્ય, વહીવટદાર અને ચીફ ઓફિસર કયારે હાજર હશે તેની માહિતી પાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે.

મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવી તેને લગભગ ૧૫ મહિનાથી પણ વધુ સમય થૈ ગયેલ છે અને હાલમાં વહીવટદાર અને ચીફ ઓફિસર થકી પાલિકાના રૂટિન કામનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે ત્યારે રોજે કોઈને કોઈ વિસ્તારમાંથી ફરિયાદ આવે છે જેથી કરીને લોકોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે તેના માટે પાલિકામાં કયા અધિકારી અને પદાધિકારીએ કયારે હાજર રહેશે તેનું સમય પત્રક જાહેર કરવામાં આવ્યું છે.

હવેથી દર મંગળવારે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ ચીફ ઓફિસર તથા મોરબી જિલ્લાના કલેકટર મોરબી પાલિકા કચેરી ખાતે હાજર રહેશે. દર બુધવારે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ વહીવટદાર પાલિકા કચેરીમાં હાજર રહેશે. દર શુક્રવારે બપોરે ૪:૦૦ થી ૬:૦૦ ચીફ ઓફિસર તથા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેશે. અને દર મહિનાના પ્રથમ તથા ત્રીજા શનિવારે બપોરે ૪:૦૦ થી ૬:૦૦ ચીફ ઓફિસર હાજર રહેશે. જો કે, અધિકારી અને પદાધિકારી હાજર રહ્યા પછી લોકોના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલાશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.






Latest News