ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબીમાં ભાગીને લગ્ન કરવાની જીદે ચડેલ સગીરાનું અભયમ ટીમે કાઉન્સિલિંગ કર્યું


SHARE













ભારે કરી: મોરબીમાં ભાગીને લગ્ન કરવાની જીદે ચડેલ સગીરાનું અભયમ ટીમે કાઉન્સિલિંગ કર્યું

મોરબીમાં નાની વયે ભાગીને લગ્ન કરવાની એક સગીરાએ ઝીદ કરી હતી. જેથી કરીને સગીરાના ભાઈએ અભયમની ટીમને જાણ કરી હતી અને અભયમ ટીમે ત્યાં આવીને આ સગીરાનું કાઉન્સિલિંગ કર્યું હતું.

મોરબી 181 પર કોલ મળતા જ અભયમ ટીમ તેમની મદદ માટે રવાના થયેલ હતી. અમે સ્થળ ઉપર જઈને સગીરાના ભાઈ પાસેથી સગીરા વિષેની માહિતી મેળવી હતી ત્યારબાદ સગીરાનુ કાઉન્સિલિંગ કરેલ હતું. ત્યારે સગીરા પહેલા કશું જ બોલતી ન હતી ત્યાર બાદ તેને વિશ્વાસ અપાવીને કાઉન્સેલિંગ કર્યું હતું અને તેની સમસ્યા જાણી હતી અને સગીરાની ઉંમર 16 જ વર્ષ હતી અને તે એક વર્ષથી એક યુવકને પ્રેમ કરે છે અને તે વ્યક્તિની ઉંમર 23 વર્ષ છે. અને તે યુવક મૂળ ઓડિશા રાજ્યમાથી મોરબી આવેલ છે. અને બંનેને એક બીજા સાથે પ્રેમ છે.

જો કે, ઘરના સદસ્યોને આ પ્રેમ પ્રકરણની પહેલા જાણ ન હતી અને સગીરાને તેની માતાએ કહ્યું હતું કે., તેને જોવા માટે છોકરો આવશે અને જો એક બીજાને પસંદ આવે તો સગપણ નક્કી કરશું ત્યારબાદ 18 વર્ષ પછી લગ્ન કરાવશે. ત્યારે સગીરાએ જણાવ્યુ હતું કે, હું જે યુવકને પ્રેમ કરું છું તેની સાથે ભાગી જઈશ. જેથી મારા ઘરના સદસ્યોને મારા પ્રેમ પ્રકરણની જાણ થયેલ હતી અને સગીરાના ભાઈએ સગીરાને સમજાવવા માટે 181 મા કોલ કર્યો હતો. જેથી સગીરાને સમજાવીને કારકિર્દી બનાવવા માટે કહ્યું હતું. જેથી હાલમાં સગીરાએ ભાગીને લગ્ન કરવાની જીદ છોડી દીધેલ છે જેથી ઘરના સદસ્યોએ 181 ની ટીમનો આભાર વ્યક્ત કરેલ હતો.






Latest News