મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકામાં સ્પર્ધાત્મક પરિક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE







માળિયા (મી) તાલુકામાં સ્પર્ધાત્મક પરિક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

માળીયા (મી) તાલુકાનાં મોટી બરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટેના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં NMMS અને જ્ઞાનસાધના જેવી પરીક્ષામાં સફળ થયેલ કુલ 50 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોરબી સિંચાઇ વિભાગમાંથી સેકશન ઓફિસર જયદીપભાઈ પટેલ તથા કાલરીયાભાઈ, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હુંબલ, મોટીબરાર ગામના સરપંચ સુરેશભાઈ રાઠોડબી.આર.સી.કો.ઓર્ડિનેટર એમ.એમ.રાઠોડ ઉપસ્થિત રહયા હતા. આ સેમિનારમાં NTSE પરિક્ષા, IIT એન્ટ્રેસ પરિક્ષા,તર્કશક્તિ વિકાસની પ્રવૃત્તિઓ,સ્પર્ધાત્મક પરિક્ષા અંગે માર્ગદર્શન જેવા વિષયો પર રવિભાઈ ધ્રાન્ગા, સાકરીયા ખોડુસિંહ, કલ્પેશભાઈ કાનેટિયા, ગામી યોગેશભાઈ દ્વારા ppt સાથે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પૂર્વ બી.આર.સી.કો.ઓર્ડિ. નિરંજની નરેન્દ્રભાઇ દ્વારા કરવામાં આવેલ હતું.






Latest News