લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકામાં સ્પર્ધાત્મક પરિક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE

















માળિયા (મી) તાલુકામાં સ્પર્ધાત્મક પરિક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

માળીયા (મી) તાલુકાનાં મોટી બરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટેના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં NMMS અને જ્ઞાનસાધના જેવી પરીક્ષામાં સફળ થયેલ કુલ 50 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોરબી સિંચાઇ વિભાગમાંથી સેકશન ઓફિસર જયદીપભાઈ પટેલ તથા કાલરીયાભાઈ, માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શર્મિલાબેન હુંબલ, મોટીબરાર ગામના સરપંચ સુરેશભાઈ રાઠોડબી.આર.સી.કો.ઓર્ડિનેટર એમ.એમ.રાઠોડ ઉપસ્થિત રહયા હતા. આ સેમિનારમાં NTSE પરિક્ષા, IIT એન્ટ્રેસ પરિક્ષા,તર્કશક્તિ વિકાસની પ્રવૃત્તિઓ,સ્પર્ધાત્મક પરિક્ષા અંગે માર્ગદર્શન જેવા વિષયો પર રવિભાઈ ધ્રાન્ગા, સાકરીયા ખોડુસિંહ, કલ્પેશભાઈ કાનેટિયા, ગામી યોગેશભાઈ દ્વારા ppt સાથે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન પૂર્વ બી.આર.સી.કો.ઓર્ડિ. નિરંજની નરેન્દ્રભાઇ દ્વારા કરવામાં આવેલ હતું.




Latest News