મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જીનપરા સહિતના વિસ્તારમાં પડેલા ખાડા નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબીત થાય તે પહેલ બુરો


SHARE







વાંકાનેરમાં જીનપરા સહિતના વિસ્તારમાં પડેલા ખાડા નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબીત થાય તે પહેલ બુરો

મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર નગરપાલિકાના વિસ્તારમાં જીનપરા રોડ ઉપર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડેલા છે અને વરસાદના ચાર છાંટા પડતાની સાથે ખાડામાં પાણીમાં ભરાઇ જવાના લીધે લોકોને રસ્તાના ખાડા દેખાતા ન હોવાથી અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે. અને આ ખાડા કોઈ નિર્દોષ વ્યક્તિ માટે વાંકાનેરમાં જીવલેણ સાબીત થાય ત્યારે પહેલા નગરપાલિકા દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડા બુરવામાં આવે તેવી લાગણી શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેમજ નેશનલ હાઇવે રોડ ઉપર વરસાદી પાણી ખાડામાં ભરાઈ જાય છે અને ખાડામાં વરસાદી પાણી હોવાના કારણે રસ્તામાં પડેલા ખાડા ન દેખાવાના લીધે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓને લેવા અને મુકવા જાતી મહિલાઓ સહિતનાઓ અકસ્માતનો ભોગ બને છે. અને તેઓને ઈજા થતી હોય છે. ત્યારે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ આ ખાડાના લીધે લેવાય ત્યાં પહેલા વાંકાનેરના જીનપરા રોડ સહિતના વિસ્તારમાં પડેલા ખાડા બુરવામાં આવે તે અનિવાર્ય છે






Latest News