મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જીનપરા સહિતના વિસ્તારમાં પડેલા ખાડા નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબીત થાય તે પહેલ બુરો


SHARE







વાંકાનેરમાં જીનપરા સહિતના વિસ્તારમાં પડેલા ખાડા નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબીત થાય તે પહેલ બુરો

મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર નગરપાલિકાના વિસ્તારમાં જીનપરા રોડ ઉપર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડેલા છે અને વરસાદના ચાર છાંટા પડતાની સાથે ખાડામાં પાણીમાં ભરાઇ જવાના લીધે લોકોને રસ્તાના ખાડા દેખાતા ન હોવાથી અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે. અને આ ખાડા કોઈ નિર્દોષ વ્યક્તિ માટે વાંકાનેરમાં જીવલેણ સાબીત થાય ત્યારે પહેલા નગરપાલિકા દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડા બુરવામાં આવે તેવી લાગણી શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેમજ નેશનલ હાઇવે રોડ ઉપર વરસાદી પાણી ખાડામાં ભરાઈ જાય છે અને ખાડામાં વરસાદી પાણી હોવાના કારણે રસ્તામાં પડેલા ખાડા ન દેખાવાના લીધે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓને લેવા અને મુકવા જાતી મહિલાઓ સહિતનાઓ અકસ્માતનો ભોગ બને છે. અને તેઓને ઈજા થતી હોય છે. ત્યારે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ આ ખાડાના લીધે લેવાય ત્યાં પહેલા વાંકાનેરના જીનપરા રોડ સહિતના વિસ્તારમાં પડેલા ખાડા બુરવામાં આવે તે અનિવાર્ય છે






Latest News