મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જીનપરા સહિતના વિસ્તારમાં પડેલા ખાડા નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબીત થાય તે પહેલ બુરો


SHARE













વાંકાનેરમાં જીનપરા સહિતના વિસ્તારમાં પડેલા ખાડા નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબીત થાય તે પહેલ બુરો

મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર નગરપાલિકાના વિસ્તારમાં જીનપરા રોડ ઉપર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડેલા છે અને વરસાદના ચાર છાંટા પડતાની સાથે ખાડામાં પાણીમાં ભરાઇ જવાના લીધે લોકોને રસ્તાના ખાડા દેખાતા ન હોવાથી અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે. અને આ ખાડા કોઈ નિર્દોષ વ્યક્તિ માટે વાંકાનેરમાં જીવલેણ સાબીત થાય ત્યારે પહેલા નગરપાલિકા દ્વારા રસ્તા ઉપર પડેલા ખાડા બુરવામાં આવે તેવી લાગણી શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેમજ નેશનલ હાઇવે રોડ ઉપર વરસાદી પાણી ખાડામાં ભરાઈ જાય છે અને ખાડામાં વરસાદી પાણી હોવાના કારણે રસ્તામાં પડેલા ખાડા ન દેખાવાના લીધે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓને લેવા અને મુકવા જાતી મહિલાઓ સહિતનાઓ અકસ્માતનો ભોગ બને છે. અને તેઓને ઈજા થતી હોય છે. ત્યારે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ આ ખાડાના લીધે લેવાય ત્યાં પહેલા વાંકાનેરના જીનપરા રોડ સહિતના વિસ્તારમાં પડેલા ખાડા બુરવામાં આવે તે અનિવાર્ય છે




Latest News