મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

માળીયા(મી)ના બગસરા ગામે પ્રાથમિક સુવિધા-રોજગારીને લગતા પ્રશ્નો માટે ધારાસભ્યને રજૂઆત


SHARE







માળીયા(મી)ના બગસરા ગામે પ્રાથમિક સુવિધા-રોજગારીને લગતા પ્રશ્નો માટે ધારાસભ્યને રજૂઆત

માળીયા(મી) ના બગસરા ગામના પ્રાથમિક સુવિધા અને રોજગારીને લગતા પ્રશ્નો માટે ધારાસભ્યને પંચાયત, ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

માળીયા (મી)ના બગસરા ગામની અનેક સમસ્યાઓને લઈને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તથા કલેકટર કચેરીએ અનેક રજુઆત આવેદનપત્ર છેલ્લા ધણા વર્ષો આપવામાં આવે છે પણ કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને પ્રાથમિક મુદ્દાઓ, રોજીરોટી અને આજીવિકા માટે સતત રજુઆત બાદ હવે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને ગામ પંચાયત અને કોળી ઠાકોર સમાજના પ્રમુખ તથા સમાજના અગ્રણીઓના  સહયોગથી અત્યાર સુધીમાં જેટલી રજૂઆતો કરેલ છે તેની નકલોની સાથે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે.

જેમાં જણાવ્યુ છે કે, આ ગામમાં પીવાનું પાણી પુરતુ આવતું નથી, ભાવપરથી બગસરાને જોડતો રસ્તો કરવામાં આવે અને બાળકોને આગળ અભ્યાસ કરવા માટે શાળાના સમયે એસટી બસની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી છે તે ઉપરાંત અપુરતી વિજળી, ગામમાં મોબાઈલ ઈન્ટરનેટની પુરતિ સુવિધા, ગામમા વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવવા, પંચાયતની હદમાં આવતી સરકારી પડતર ખરાબાની જમીનોમાં મંજુરી વગરના રસ્તા બનાવેલ છે તેને બંધ કરાવવા, મોરબી જીલ્લા કલેકટર કચેરીએ ગામના લોકોને રોજીરોટી અને આજીવિકા માટે મીઠું પકવવા જમીન ફાળવી નથી જેથી આ સહિતના પ્રશ્નોને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News