મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર લોખંડની ખીલી વાળા ધોકાથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ આરોપી અજય લોરિયાની જામીન અરજી નામંજૂર મોરબીના વૃદ્ધની કિંમતી જમીન પચાવી પાડવા કૌભાંડ આરોપી જય દેત્રોજાની ધરપકડ, બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના સિરામિક ઉદ્યોગોને પરવડે તેવા ભાવે ગેસ સપ્લાય કરવા ગુજરાત ગેસ કંપની સહમત: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના સરતાનપર રોડ ઉપર ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામે બુધવારી બજારમાંથી સગીરાનું અપહરણ મોરબી મહાપાલિકાની ચુંટણીમાં 3 વોર્ડમાં ત્રિપાંખીયો જંગ: 5 વોર્ડમાં 2-2 બેલેટ યુનિટ મુકાશે, મતદાનોએ સાવધાન રહેવું જરૂરી મોરબી તાલુકા પંચાયતની એક-વાંકાનેર પાલિકાની એક બેઠક ઉપર ભાજપ અને વાંકાનેર પાલિકાની 4 બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો બિનહરીફ મોરબીના શનાળા રોડે લેન્ડમાર્ક શોપિંગ સેન્ટરની ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 5 પકડાયા: આઈડી આપનારની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના બગસરા ગામે પ્રાથમિક સુવિધા-રોજગારીને લગતા પ્રશ્નો માટે ધારાસભ્યને રજૂઆત


SHARE













માળીયા(મી)ના બગસરા ગામે પ્રાથમિક સુવિધા-રોજગારીને લગતા પ્રશ્નો માટે ધારાસભ્યને રજૂઆત

માળીયા(મી) ના બગસરા ગામના પ્રાથમિક સુવિધા અને રોજગારીને લગતા પ્રશ્નો માટે ધારાસભ્યને પંચાયત, ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

માળીયા (મી)ના બગસરા ગામની અનેક સમસ્યાઓને લઈને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તથા કલેકટર કચેરીએ અનેક રજુઆત આવેદનપત્ર છેલ્લા ધણા વર્ષો આપવામાં આવે છે પણ કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને પ્રાથમિક મુદ્દાઓ, રોજીરોટી અને આજીવિકા માટે સતત રજુઆત બાદ હવે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને ગામ પંચાયત અને કોળી ઠાકોર સમાજના પ્રમુખ તથા સમાજના અગ્રણીઓના  સહયોગથી અત્યાર સુધીમાં જેટલી રજૂઆતો કરેલ છે તેની નકલોની સાથે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે.

જેમાં જણાવ્યુ છે કે, આ ગામમાં પીવાનું પાણી પુરતુ આવતું નથી, ભાવપરથી બગસરાને જોડતો રસ્તો કરવામાં આવે અને બાળકોને આગળ અભ્યાસ કરવા માટે શાળાના સમયે એસટી બસની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી છે તે ઉપરાંત અપુરતી વિજળી, ગામમાં મોબાઈલ ઈન્ટરનેટની પુરતિ સુવિધા, ગામમા વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવવા, પંચાયતની હદમાં આવતી સરકારી પડતર ખરાબાની જમીનોમાં મંજુરી વગરના રસ્તા બનાવેલ છે તેને બંધ કરાવવા, મોરબી જીલ્લા કલેકટર કચેરીએ ગામના લોકોને રોજીરોટી અને આજીવિકા માટે મીઠું પકવવા જમીન ફાળવી નથી જેથી આ સહિતના પ્રશ્નોને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News