વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના બગસરા ગામે પ્રાથમિક સુવિધા-રોજગારીને લગતા પ્રશ્નો માટે ધારાસભ્યને રજૂઆત


SHARE

















માળીયા(મી)ના બગસરા ગામે પ્રાથમિક સુવિધા-રોજગારીને લગતા પ્રશ્નો માટે ધારાસભ્યને રજૂઆત

માળીયા(મી) ના બગસરા ગામના પ્રાથમિક સુવિધા અને રોજગારીને લગતા પ્રશ્નો માટે ધારાસભ્યને પંચાયત, ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

માળીયા (મી)ના બગસરા ગામની અનેક સમસ્યાઓને લઈને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તથા કલેકટર કચેરીએ અનેક રજુઆત આવેદનપત્ર છેલ્લા ધણા વર્ષો આપવામાં આવે છે પણ કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને પ્રાથમિક મુદ્દાઓ, રોજીરોટી અને આજીવિકા માટે સતત રજુઆત બાદ હવે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાને ગામ પંચાયત અને કોળી ઠાકોર સમાજના પ્રમુખ તથા સમાજના અગ્રણીઓના  સહયોગથી અત્યાર સુધીમાં જેટલી રજૂઆતો કરેલ છે તેની નકલોની સાથે ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી છે.

જેમાં જણાવ્યુ છે કે, આ ગામમાં પીવાનું પાણી પુરતુ આવતું નથી, ભાવપરથી બગસરાને જોડતો રસ્તો કરવામાં આવે અને બાળકોને આગળ અભ્યાસ કરવા માટે શાળાના સમયે એસટી બસની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરી છે તે ઉપરાંત અપુરતી વિજળી, ગામમાં મોબાઈલ ઈન્ટરનેટની પુરતિ સુવિધા, ગામમા વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવવા, પંચાયતની હદમાં આવતી સરકારી પડતર ખરાબાની જમીનોમાં મંજુરી વગરના રસ્તા બનાવેલ છે તેને બંધ કરાવવા, મોરબી જીલ્લા કલેકટર કચેરીએ ગામના લોકોને રોજીરોટી અને આજીવિકા માટે મીઠું પકવવા જમીન ફાળવી નથી જેથી આ સહિતના પ્રશ્નોને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News