મોરબીમાં સીએમના આગમન પહેલા વિરોધ પ્રદર્શન કરનાર કોંગ્રેસ અને આપના આગેવાનોની અટકાયત મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી મોત


SHARE













માળીયા (મી)ના જુના ઘાટીલા પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી મોત

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં યુવાન ન્હાવા માટે પડ્યો હતો અને ત્યાં પાણીમાં કોઈ કારણોસર તે ડૂબી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના ચાંદપુર તાલુકાના આંબા ડભેરી પટેલ ફળિયુના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના નવા ઘાટીલા ગામે જયંતીભાઈ બચુભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ખપુરીયાભાઈ કેરીયાભાઈ ડોડીયા જાતે આદિવાસી (40) નામનો યુવાન જૂના ઘાટીલા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે થઈને પડ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ તે મૃતક યુવાનના ડેડબોડીને પાણીમાંથી બહાર કાઢીને માળીયાની સરકારી હોસ્પિટલે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન રાજુભાઈ રુમાભાઈ ડોડીયા જાતે આદિવાસી (30) રહે. હાલ રાજચરાડી ગામે મુન્નાભાઈ પટેલની વાડીએ ધાંગધ્રા મૂળ રહે એમપી વાળાએ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા અનિલભાઈ પ્રવીણભાઈ ગણેશિયા (27) નામના યુવાનને મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીમાં સબજેલ ચોક પાસે રહેતા પરસોતમભાઈ કમાભાઈ પરમાર (42) મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સેન્ટીંગનું કામ કરી રહ્યા હતા ત્યારે કામગીરી દરમિયાન કોઈ કારણોસર તે પડી જતા તેઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.




Latest News