માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત મોરબીના ઘુટુ ગામ નજીક કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા શખ્સોને રોકનાર સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત
Breaking news
Morbi Today

મોરબીની ફેમિલી કોર્ટે ભરણ પોષણની રકમ વસૂલ કરવાની અરજીમાં આરોપીને ફટકારી સજા


SHARE













મોરબીની ફેમિલી કોર્ટે ભરણ પોષણની રકમ વસૂલ કરવાની અરજીમાં આરોપીને ફટકારી સજા

મોરબીની ફેમીલી  કોર્ટમાં કરવામાં આવેલ ભરણ પોષણની રકમ વસૂલ કરવાની અરજીમાં આરોપીને ૧૬૫ દીવસની સાદી કેદનો કોર્ટે હુકમ કરેલ છે.

મોરબી ફેમીલી  કોર્ટમાં અરજદાર વનીતાબેન નારણભાઈ વાઘેલાએ તેમના પતી નારણભાઇ પોપટભાઈ વાઘેલા સામે ચડત ભરણ પોષણની રકમ ૨૦,૦૦૦ વસુલ મેળવવા અરજી કરી હતી. જે અરજીના કામે સામાવાળાએ ચડત ભરણ પોષણની ૨કમ અરજદારને ચુકવેલ ન હોવાથી મોરબીની ફેમીલી કોર્ટે નારણભાઈ પોપરભાઈ વાઘેલાને ૧૬૫ દીવસની સાદી કેદનો હુકમ કરેલ છે આ કેસમાં અરજદારના વકીલ તરીકે મોરબીના એડવોકેટ એન્ડ નોટરી ભાવેશ ડી. ફુલતરીયા તેમજ રાજેશ જે. જોષી રોકાયેલા હતા.

જ્યારે બીજા કેસમાં મો૨બી તાલુકાના પંચાસર ગામના નરેશભાઈ વશરામભાઈ પટેલએ કંચનબેન વાલજીભાઈ પટેલ વિગેરે સામે કલેકટર મોરબી સમક્ષ રીવીઝન અરજી નંબર ૮/૨૩ થી પંચાસર ગામના સ.ન.૭૫૦ ની ખેતીની જમીન અંગેની નોંધ નંબર ૧૪૧૮, ૨૧૪૦, ૨૬૩૨, ૩૦૬૪, ૩૮૮૪, ૫૧૭૭ માં સર્વે નંબર ૭૫૦ ના બદલે સર્વે નંબર ૧૦૯ મુજબ સુધારો કરી તેનું માપ એ. ૫-૦૫ ગુઠા પ્રમાણે સુધારો કરવા તથા સર્વે નંબર ૧૦૯ નું પાનું બંધ કરવા રેકર્ડ દુરસ્ત કરવા અંગે અપીલ અરજી કરેલ હતી જે અપીલ અરજીના સામાવાળા કંચનબેન વાલજીભાઇ વિગેરે તથા આશીષભાઈ મહાદેવભાઈ વિગેરેના વકીલ ભાવેશભાઈ ડી. ફુલતરીયા તેમજ આર.જે. જોષીની કાયદાકીય અને રેવન્યુ રાહી ધારદાર દલીલો તેમજ કાર્યક્ષેત્રના મુદ્દે તેમજ કાયદાકીય વિગતોને ધ્યાનમાં લઈને અરજદારની આ રીવીઝન અરજી નામંજુર કરવાનો હુકમ કરવામાં આવેલ છે.






Latest News