મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીની સોમનાથ સોસાયટીમાં પરીણીતા-શોભેશ્વર રોડે યુવાને જીવન ટુકાવ્યું


SHARE











મોરબીની સોમનાથ સોસાયટીમાં પરીણીતા-શોભેશ્વર રોડે યુવાને જીવન ટુકાવ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં શુભ પેલેસના ફ્લેટમાં રહેતા મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આવી જ રીતે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ પાણીના ટાંકાની બાજુમાં રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બંન્ને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરીને આગળના કાર્યવાહી કરેલ છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં શુભ પેલેસ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 704 માં રહેતા મિતાલીબેન તેજસભાઈ ભુવા જાતે પટેલ ઉમર (33) એ પોતાના જ ઘરની અંદર બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.ત્યાં પેનલ ડોક્ટર મારફતે પીએમ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ આ બનાવની રમેશભાઈ અમરશીભાઈ દેસાઈ રહે.હળવદ વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે.આ બનાવની આગળની વધુ તપાસ પીએસઆઇ બી.એ.ગઢવી ચલાવી રહ્યા છે અને પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હતો જો કે તેણે ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે ? તે દિશામાં તપાસ ચાલી રહી છે.

મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ પાણીના ટાંકાની બાજુમાં રહેતા મુકેશભાઈ બાબુભાઈ દેવીપુજક (32) એ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે.આ બનાવની આગળની વધુ તપાસ જે.જે.ડાંગર ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું છે ? તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.






Latest News