મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની સોમનાથ સોસાયટીમાં પરીણીતા-શોભેશ્વર રોડે યુવાને જીવન ટુકાવ્યું


SHARE













મોરબીની સોમનાથ સોસાયટીમાં પરીણીતા-શોભેશ્વર રોડે યુવાને જીવન ટુકાવ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં શુભ પેલેસના ફ્લેટમાં રહેતા મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આવી જ રીતે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ પાણીના ટાંકાની બાજુમાં રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બંન્ને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરીને આગળના કાર્યવાહી કરેલ છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં શુભ પેલેસ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 704 માં રહેતા મિતાલીબેન તેજસભાઈ ભુવા જાતે પટેલ ઉમર (33) એ પોતાના જ ઘરની અંદર બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.ત્યાં પેનલ ડોક્ટર મારફતે પીએમ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ આ બનાવની રમેશભાઈ અમરશીભાઈ દેસાઈ રહે.હળવદ વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે.આ બનાવની આગળની વધુ તપાસ પીએસઆઇ બી.એ.ગઢવી ચલાવી રહ્યા છે અને પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હતો જો કે તેણે ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે ? તે દિશામાં તપાસ ચાલી રહી છે.

મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ પાણીના ટાંકાની બાજુમાં રહેતા મુકેશભાઈ બાબુભાઈ દેવીપુજક (32) એ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે.આ બનાવની આગળની વધુ તપાસ જે.જે.ડાંગર ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું છે ? તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.






Latest News