મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કલેક્ટરની બદલી અંગે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબી જીલ્લા કલેક્ટરની બદલી અંગે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના સામાજિક કાર્યકર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જિલ્લા કલેકટરની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.મોરબી જીલ્લા કલેકટરની બદલી કરવા માટે હાલમાં કરવામાં આવેલ માંગમાં જણાવયેલ છે કે મોરબી જીલ્લા કલેકટર તરીકે હાલમાં કે.બી.ઝવેરી છેલ્લા પાંચેક મહીના થયા ફરજ બજાવે છે.પરંતુ તેમની કામગીરીથી પ્રજાને ધણો જ અસંતોષ છે.

મોરબીના સામાજિક કાર્યકર પી.પી.જોષીએ વધુમાં જણાવેલ છે કે અરજદારોના પ્રશ્નોના નિકાલ થતા નથી.મોરબી જીલ્લો સવેદનસીલ હોય ત્યા ડાયરેક આઈએએસ.અધિકારી મુકવા જરૂરી છે.તેમજ આ નવા આવેલ કે.બી.ઝવેરી અગાઉ જીએસટી ખાતામાં હતા.જેથી તે અધિકારી રેવન્યુ મહેસુલ વિભાગના જાણકાર ન હોય તેઓને નીચેના સાથી અધિકારી અને કર્મચારી ઉપર આધાર રાખીને કામ કરવુ પડે તેમ છે.જેથી ભવિષયમાં કોઈ કર્મચારી અધિકારીના હીતને નુકશાન પણ થાય મોરબી જીલ્લાના અસંખ્ય પ્રશ્નો હાલમાં જેમના તેમ છે.

આ બાબતે પુરવઠા વિભાગના પ્રશ્નો અંગે અરજદારે રજુઆત કરેલ પરંતુ નિયમોસર કોઈપણ કાર્યવાહી કરેલ નથી. "માસ્તર મારે નહી માસ્તર ભણાવે નહી" તેવી પરિસ્થિત આજે મોરબી જીલ્લાની પ્રજા ભોગવે છે.ભાજપ સરકારને ધણી જ બહુમતી મોરબીની પ્રજાએ  આપેલ છે.છતા આવા અધિકારીની અણ આવડત કે બેદરકારીને કારણે આગામી ચુંટણીમાં આની અસર જોવા મળે અને પ્રજાને સરકાર ઉપર વિશ્વાસ ઉઠી જાય છે. શ્રી ઝવેરી સાહેબ કલેકટર નિષ્ઠવાન અને ઈમાનદારી અધિકારી છે. પરંતુ રેવન્યુ અને મહેસુલ વિભાગનો કોઈ અનુભવ ન હોય તેમની નીચેના કર્મચારી ઉપર આધાર રાખીને કામ કરવુ પડે તેવી સ્થીત ઉભી થયેલ છે.આ તમામ બાબતે મારો જાત અનુભવ છે આજે પણ કલેકટર કચેરીમાં અંધેરીનગરીને ગંડુ રાજા જેવો તાલ છે.વધુમાં જણાવવાનું કે આ કચેરીમાં ધણા સમયથી એટલેકે ત્રણથી પાંચ વર્ષની ઉપરના કર્મચારીઓની બદલી થયેલ નથી જે તાત્કાલિક કરવાની જરૂરી છે.આ બાબતે યોગ્ય ન્યાયી તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં માંગ કરવામાં આવેલ છે






Latest News