મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં મખ્ય બે આરોપઓનો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન ઉપર છૂટકારો


SHARE















મોરબીમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં મખ્ય બે આરોપઓનો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન ઉપર છૂટકારો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ રામકૃષ્ણનગરમાં મકાનમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને ઘરવખરી તથા વાહનમાં નુકસાન કરવામાં આવ્યું હતું. જે અંગે ગુનામાં પકડાયેલા બે લોકોના કોર્ટ દ્વારા હાલ જામીન મંજૂર કરાયા છે.

મોરબી બી ડિવી પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરી હતી કે આ કામના આરોપીઓએ અદાવત રાખીને આરોપીઓએ ફરિયાદીના ઘરને આગ લગાડી દીધેલ.જેમાં ફરીયાદીના ધરનો ધરવખરીનો સામાન સળગી ગયેલ હોય અને નુકશાની થયેલ હોય અને આરોપીઓએ એકબીજાને મદદગારી કરીને ગુન્હો કર્યો હોય જેથી મોરબી બી ડિવી પોલીસે આરોપીઓ વીરધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

જેમાં આરોપી શીવ ઉર્ફે લકકી વસંતભાઈ ભુસાલ તથા મીનપ્રસાદ ઉર્ફ રોહીત વસંતભાઈ ભુસાલ તરફે મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપ આર.અગેચાણીયા રોકાયેલ હતા.આરોપીઓ તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે.આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે.ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે.આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીઓને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે.તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને આરોપીઓને જામીન પર મુકત કરવા દલીલ કરેલ.બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપ અગેચાણીયાની દલીલ માન્ય રાખીને આરોપીઓને રૂ.૪૦,૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ.આ કામમાં આરોપી તરફે ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયાની, જે.ડી. સોલંકી, રવી ચાવડા, દિપ ઝીઝુવાડીયા, ક્રીષ્ના જારીયા, ઉષા બાબરીયા રોકાયેલા હતા






Latest News