શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પુર્વ પ્રમુખ સ્વ.હરેશભાઈ કાનાબાર પરિવારના આત્મશાંતી અર્થે હરિ સ્મરણ ભજન કિર્તનનું આયોજન
SHARE
શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પુર્વ પ્રમુખ સ્વ.હરેશભાઈ કાનાબાર પરિવારના આત્મશાંતી અર્થે હરિ સ્મરણ ભજન કિર્તનનું આયોજન
હરિસ્મરણ (ભજન કિર્તન) શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પુર્વ પ્રમુખ સ્વ.હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, તેમના ધર્મપત્ની સ્વ.વર્ષાબેન હરેશભાઈકાનાબાર તેમજ પુત્ર સ્વ.હર્ષ હરેશભાઈ કાનાબારનું તા.૭-૮-૨૪ ને મંગળવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે.તેમના આત્માની શાંતી અર્થે હરિ સ્મરણ (ભજન કિર્તન) નું આયોજન કરવામાં આવેલ છે.આ હરિ સ્મરણમાં સદ્ગતના સગા-વ્હાલાઓ, પરિચિતો તથા રઘુવંશી સમાજ સાથે મળીને સદ્ગતના આત્માની શાંતી અર્થે પ્રભુને પ્રાર્થના કરસે.આજ તા.૧૦ ને શનિવારના રાત્રે ૯-૩૦ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદીર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે આ કાર્યક્રમનુ આયોજન શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી અને શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા કરવામાં આવેલ છે.
તારીખ : 11-8 ના રોજ મોરબીમાં એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર
મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તારીખ 11-8-24ને રવિવારે સવારે 9 થી 11 સુધી વિનામૂલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના કોઈપણ જાતના દુઃખાવાની સારવાર કરવામાં આવશે.આ કેમ્પમાં મોર્નિંગ વોકીંગ ગૃપવાળા ઈશ્વરભાઈ મોટકા પટેલ દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.









