મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને ફિનાઇલમાં એસિડ મિક્ષ કરીને પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત


SHARE







મોરબીમાં બીમારીથી કંટાળીને ફિનાઇલમાં એસિડ મિક્ષ કરીને પી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં યોગીનગરમાં રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે ફિનાઇલમાં એસિડ મિક્સ કરીને પી લીધું હતું જેથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી ચાલુ સારવારે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજયું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી યોગીનગર સોસાયટી બ્લોક નંબર 107 માં રહેતા વિનુબેન મગનભાઈ સીચણાંદા (64) એ પોતે પોતાના ઘરની અંદર હતા ત્યારે ફિનાઇલમાં એસિડ મિક્સ કરીને તે પી ગયા હતા જેથી કરીને વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સર્વે દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી કરીને મોરબીની સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી સામે આવી હતી કે, મૃતક વૃદ્ધાને ચામડી અને પગની બીમારી હતી જેની દવા પણ ચાલુ હતી અને આ બીમારીથી કંટાળી જઈને પોતે પોતાની જાતે આ પગલું ભર્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આરોપી પકડાયો

મોરબી તાલુકા વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને જીવલેણ અકસ્માતના બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે આરોપી કિશન મુકેશભાઈ કુકવા (19) રહે. શીતળા માતા મંદિર પાસે મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News