શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને તિરંગા યાત્રા યોજાઇ 


SHARE









મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને તિરંગા યાત્રા યોજાઇ 

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે વિદ્યાર્થીઓ 2300 ફૂટ લાંબો તિરંગો લઈને મોરબીના મુખ્ય માર્ગ ઉપર થી પસાર થયા હતા જેથી આ તિરંગા યાત્રા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી અનેકવિધ સેવાકીય કામો સાથે જોડાયેલ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પણ શાનદાર રીતે કરવામાં આવતી હોય છે ત્યારે જો વાત કરીએ તો હાલમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી પહેલા સમગ્ર ભારત દેશની અંદર જુદી જુદી જગ્યાએ તિરંગા યાત્રાના આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં આજે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તિરંગા યાત્રા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતેથી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉમિયા સર્કલ ત્યાંથી રવાપર ચોકડી અને ત્યાંથી પાછા ઉમિયા સર્કલ અને સ્કાય મોલ પાસે આ તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી જો કે, મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી 2300 ફૂટ લાંબો તિરંગો લઈને વિદ્યાર્થીઓ નીકળ્યા હતા ત્યારે આ તિરંગા યાત્રા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી તેમજ દિનેશભાઈ વડસોલા અને પી.જી. પટેલ કોલેજના આચાર્ય રવિન્દ્રભાઈ ભટ્ટ સહિતની ટીમ દ્વારા જેહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News