ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને તિરંગા યાત્રા યોજાઇ 


SHARE













મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને તિરંગા યાત્રા યોજાઇ 

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે વિદ્યાર્થીઓ 2300 ફૂટ લાંબો તિરંગો લઈને મોરબીના મુખ્ય માર્ગ ઉપર થી પસાર થયા હતા જેથી આ તિરંગા યાત્રા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી અનેકવિધ સેવાકીય કામો સાથે જોડાયેલ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પણ શાનદાર રીતે કરવામાં આવતી હોય છે ત્યારે જો વાત કરીએ તો હાલમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી પહેલા સમગ્ર ભારત દેશની અંદર જુદી જુદી જગ્યાએ તિરંગા યાત્રાના આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં આજે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તિરંગા યાત્રા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતેથી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉમિયા સર્કલ ત્યાંથી રવાપર ચોકડી અને ત્યાંથી પાછા ઉમિયા સર્કલ અને સ્કાય મોલ પાસે આ તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી જો કે, મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી 2300 ફૂટ લાંબો તિરંગો લઈને વિદ્યાર્થીઓ નીકળ્યા હતા ત્યારે આ તિરંગા યાત્રા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી તેમજ દિનેશભાઈ વડસોલા અને પી.જી. પટેલ કોલેજના આચાર્ય રવિન્દ્રભાઈ ભટ્ટ સહિતની ટીમ દ્વારા જેહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News