વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને તિરંગા યાત્રા યોજાઇ 


SHARE













મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને તિરંગા યાત્રા યોજાઇ 

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે વિદ્યાર્થીઓ 2300 ફૂટ લાંબો તિરંગો લઈને મોરબીના મુખ્ય માર્ગ ઉપર થી પસાર થયા હતા જેથી આ તિરંગા યાત્રા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી અનેકવિધ સેવાકીય કામો સાથે જોડાયેલ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પણ શાનદાર રીતે કરવામાં આવતી હોય છે ત્યારે જો વાત કરીએ તો હાલમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી પહેલા સમગ્ર ભારત દેશની અંદર જુદી જુદી જગ્યાએ તિરંગા યાત્રાના આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં આજે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તિરંગા યાત્રા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતેથી શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉમિયા સર્કલ ત્યાંથી રવાપર ચોકડી અને ત્યાંથી પાછા ઉમિયા સર્કલ અને સ્કાય મોલ પાસે આ તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં આવી હતી જો કે, મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી 2300 ફૂટ લાંબો તિરંગો લઈને વિદ્યાર્થીઓ નીકળ્યા હતા ત્યારે આ તિરંગા યાત્રા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી તેમજ દિનેશભાઈ વડસોલા અને પી.જી. પટેલ કોલેજના આચાર્ય રવિન્દ્રભાઈ ભટ્ટ સહિતની ટીમ દ્વારા જેહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News