મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

સરકારે હજુ સુધી વિદ્યાર્થીનીઓને આપવાની થતી સાયકલો કોન્ટ્રાક્ટર પાસેથી સ્વીકારી જ નથી: મોરબીમાં અધિકારીનો મોટો ખુલાસો


SHARE













સરકારે હજુ સુધી વિદ્યાર્થીનીઓને આપવાની થતી સાયકલો કોન્ટ્રાક્ટર પાસેથી સ્વીકારી જ નથી: મોરબીમાં અધિકારીનો મોટો ખુલાસો

સમગ્ર ગુજરાતમાં શિક્ષણ મેળવવા માટે થઈને જતી બક્ષિપંચની વિદ્યાર્થીનીઓને સરકારની જુદી જુદી યોજનાઓ અંતર્ગત સાયકલોનું વિતરણ કરવામાં આવતું હોય છે અને તે પ્રકારની સાઇકલો મોરબી જિલ્લામાં મોરબી અને હળવદ ખાતે છેલ્લા ઘણા સમયથી તૈયાર પડી છે અને તે ભંગાર થઈ રહી છે ત્યારે આ બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓનું મુલાકાત કરતા જાણવા મળ્યું હતું કે "સરકાર દ્વારા હજુ સુધી આ સાયકલો કોન્ટ્રાક્ટર પાસેથી સ્વીકારવામાં આવી નથી અને ભવિષ્યમાં જ્યારે પણ સાયકલો લેવામાં આવશે ત્યારે સારી ગુણવત્તાની સાયકલો હશે તે જ વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે"

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા ધોરણ 9 માં અભ્યાસ કરતી એસી, બીસી અને ઈબીસી માં આવતી વિદ્યાર્થીનીઓને સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ સાયકલનું વિતરણ કરવામાં આવતું હોય છે તેવી જ રીતે વર્ષ 2022-23 માં મોરબી જિલ્લામાં કુલ મળીને 2200 વિદ્યાર્થીનીઓને સરકારની યોજના અંતર્ગત સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે, હાલમાં મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ છાત્રાલયના મેદાનમાં તેમજ હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર જુદી જુદી બે જગ્યા ઉપર લગભગ 2000 જેટલી સાયકલો ભંગારની જેમ પડી હોય અને ધૂળ ખાઈ રહી છે તેવું સામે આવ્યું છે 

 

ત્યારે આ બાબતે મોરબી જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી એલ.વી. લાવડીયાનો સંપર્ક કરતા તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે, આ સાયકલ સરકારે સ્વીકારી જ નથી અને ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીનીઓને સાયકલો આપવાની થશે ત્યારે સારી કન્ડિશનની જે સાયકલો હશે તે જ વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, વર્ષ 2023-24 માટે 1900 વિદ્યાર્થીનીઓને સાયકલો આપવાની હતી પરંતુ સાયકલો સમયસર મળી ન હતી અને ગાંધીનગરથી ડીલે થયું હતું.

મોરબી જીલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણના નિયામક ડી.એમ.સાવરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યુ હતુ કે, ચાલુ વર્ષે હીરો ઇકો ટેક નામની કંપનીને સાયકલો આપવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જોકે સમગ્ર ગુજરાતની અંદર એક પણ જગ્યાએ આ એજન્સી પાસેથી સાયકલો સ્વીકારવામાં આવી નથી. અને ટેકનિકલ બાબતના ઇસ્યુ હોવાના કારણે સરકારમાંથી જ સાયકલ ન સ્વીકારવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. જેથી કરીને હાલમાં જે સાયકલો મોરબીના જુદા જુદા વિસ્તારમાં તેમજ ગુજરાતના અલગ અલગ સેન્ટરો ઉપર ધૂળ ખાઈ રહી છે અથવા તો ભંગાર થઈ રહી છે તેમાં સરકારની કોઈ જવાબદારી નથી. 






Latest News