ટંકારાના હીરાપર પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું
મોરબીના પાનેલીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને ન કરવાનું કરી નાખ્યું
SHARE
મોરબીના પાનેલીમાં માનસિક બીમારીથી કંટાળીને યુવાને ન કરવાનું કરી નાખ્યું
મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા યુવાને માનસિક બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા જીતેન્દ્રભાઈ તેજાભાઈ સોલંકી (45)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે ઘરની અંદર માનસિક બીમારીથી કંટાળીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થેલ જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ નંદરામભાઇ મેસવાણીયા ચલાવી રહ્યા છે