મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં આધેડનું માથું એસટી બસના ટાયર નીચે ચગદી નાખનારા ડ્રાઈવર સામે ગુનો નોંધાયો


SHARE





હળવદમાં આધેડનું માથું એસટી બસના ટાયર નીચે ચગદી નાખનારા ડ્રાઈવર સામે ગુનો નોંધાયો

હળવદમાં દશા માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહેલા આધેડના બાઇકને એસટી બસના ચાલકે હડફેટ લીધું હતુ અને ત્યારે એસટી બસના ચાલકે આધેડના માથા ઉપરથી બસના ટાયરનો જોટો ફેરવી દીધો હતો જેથી કરીને આધેડનું મોત થયું હતું જે બનાવમાં મૃતકના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એસટી બસના ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા અશોકભાઈ મનુભાઈ લોરીયા (38)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે 18 ઝેડ 5498 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદના ધાંગધ્રા રોડ ઉપર આવેલ દશા માતાજીના મંદિર પાસે વિનોબા ગ્રાઉન્ડ પાસેથી તેઓના પિતા તેનું બાઇક નંબર જીજે 3 એએ 2571 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે એસટી બસના ચાલકે તેને હડફેટે લીધા હતા અને ફરિયાદીના પિતા રસ્તા ઉપર નીચે પડી જતાં તેના માથા ઉપરથી એસટી બસનો પાછળનો ટાયરનો જોટો ફરી ગયો હતો જેથી કરીને ફરિયાદીના પિતા મનુભાઈ ઉર્ફે મનહરભાઈ લોરીયા (55) નું માથું ચગડાઈ જવાના કારણે મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હાલમાં અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ એસટી બસમાં ચાલક સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News