ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદમાં આધેડનું માથું એસટી બસના ટાયર નીચે ચગદી નાખનારા ડ્રાઈવર સામે ગુનો નોંધાયો


SHARE













હળવદમાં આધેડનું માથું એસટી બસના ટાયર નીચે ચગદી નાખનારા ડ્રાઈવર સામે ગુનો નોંધાયો

હળવદમાં દશા માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહેલા આધેડના બાઇકને એસટી બસના ચાલકે હડફેટ લીધું હતુ અને ત્યારે એસટી બસના ચાલકે આધેડના માથા ઉપરથી બસના ટાયરનો જોટો ફેરવી દીધો હતો જેથી કરીને આધેડનું મોત થયું હતું જે બનાવમાં મૃતકના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એસટી બસના ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા અશોકભાઈ મનુભાઈ લોરીયા (38)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે 18 ઝેડ 5498 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદના ધાંગધ્રા રોડ ઉપર આવેલ દશા માતાજીના મંદિર પાસે વિનોબા ગ્રાઉન્ડ પાસેથી તેઓના પિતા તેનું બાઇક નંબર જીજે 3 એએ 2571 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે એસટી બસના ચાલકે તેને હડફેટે લીધા હતા અને ફરિયાદીના પિતા રસ્તા ઉપર નીચે પડી જતાં તેના માથા ઉપરથી એસટી બસનો પાછળનો ટાયરનો જોટો ફરી ગયો હતો જેથી કરીને ફરિયાદીના પિતા મનુભાઈ ઉર્ફે મનહરભાઈ લોરીયા (55) નું માથું ચગડાઈ જવાના કારણે મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હાલમાં અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ એસટી બસમાં ચાલક સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News