ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

એસટી વિભાગની આડોડાઈ: રાજકોટથી ધાંગધ્રા જતા બસ અચાનક બંધ, પેસેન્જરોની મુશ્કેલીમાં વધારો


SHARE













એસટી વિભાગની આડોડાઈ: રાજકોટથી ધાંગધ્રા જતા બસ અચાનક બંધ, પેસેન્જરોની મુશ્કેલીમાં વધારો

રાજકોટથી ધાંગધ્રા જતા પેસેન્જરો માટે છેલ્લા 25 વર્ષથી બસ ચાલી રહી હતી તે બસ બંધ થતા બીજો કોઈ વિકલ્પ આપવામાં આવેલ નથી જેથી મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયેલ છે. આ બસને મુસાફરો પાસેથી મળી રહેલ માહિતી મુજબ રાજકોટ થી ધાંગધ્રા જે છેલ્લી લોકલ બસ જતી હતી તેમાં બદલાવ કરવામાં આવ્યો છે અને જેથી પેસેન્જરોને અવારનવાર બસ સ્ટેશન પર કલાકો સુધી રાતે બેસી રહેવું પડે છે.

આ બસમાં કેન્સર પીડીત, અન્ય બીમાર દર્દી, મુસાફરો, વેપારીઓ સહિતના મુસાફરી કરતાં હતા જો કે, ધાંગધ્રા વાળી બસ રાજકોટથી ધાંગધ્રા તરફ જતી છેલ્લી બસ છે. જેનો ઘણા લોકોને લાભ મળતો હતો જો કે, આ બસ બંધ થવા પાછળનું કારણ જાણી શક્યા નથી. અને રાજકોટ ધાંગધ્રા વાળી બસ હંમેશા પેસેન્જર ફૂલ હોય છે તો પછી કેમ બંધ કરવામાં આવી તે સૌથી મોટો સવાલ છે અને છેલ્લા વર્ષોના આ બસના હિસાબને ચેક કરવામાં આવે તો જાણી શકાય કે આ બસનો કેટલા મુસાફરોને લાભ મળી રહ્યો હતો. હાલમાં આ બસ કયા કારણોસર બંધ કરવામાં આવેલ ?, માણસોને હેરાન શા માટે કરવામાં આવે છે ? તેવા અનેક સવાલ છે ત્યારે લોકોની સુવિધા માટે જૂના રુટ મુજબ બસને ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.  






Latest News