મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

એસટી વિભાગની આડોડાઈ: રાજકોટથી ધાંગધ્રા જતા બસ અચાનક બંધ, પેસેન્જરોની મુશ્કેલીમાં વધારો


SHARE













એસટી વિભાગની આડોડાઈ: રાજકોટથી ધાંગધ્રા જતા બસ અચાનક બંધ, પેસેન્જરોની મુશ્કેલીમાં વધારો

રાજકોટથી ધાંગધ્રા જતા પેસેન્જરો માટે છેલ્લા 25 વર્ષથી બસ ચાલી રહી હતી તે બસ બંધ થતા બીજો કોઈ વિકલ્પ આપવામાં આવેલ નથી જેથી મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયેલ છે. આ બસને મુસાફરો પાસેથી મળી રહેલ માહિતી મુજબ રાજકોટ થી ધાંગધ્રા જે છેલ્લી લોકલ બસ જતી હતી તેમાં બદલાવ કરવામાં આવ્યો છે અને જેથી પેસેન્જરોને અવારનવાર બસ સ્ટેશન પર કલાકો સુધી રાતે બેસી રહેવું પડે છે.

આ બસમાં કેન્સર પીડીત, અન્ય બીમાર દર્દી, મુસાફરો, વેપારીઓ સહિતના મુસાફરી કરતાં હતા જો કે, ધાંગધ્રા વાળી બસ રાજકોટથી ધાંગધ્રા તરફ જતી છેલ્લી બસ છે. જેનો ઘણા લોકોને લાભ મળતો હતો જો કે, આ બસ બંધ થવા પાછળનું કારણ જાણી શક્યા નથી. અને રાજકોટ ધાંગધ્રા વાળી બસ હંમેશા પેસેન્જર ફૂલ હોય છે તો પછી કેમ બંધ કરવામાં આવી તે સૌથી મોટો સવાલ છે અને છેલ્લા વર્ષોના આ બસના હિસાબને ચેક કરવામાં આવે તો જાણી શકાય કે આ બસનો કેટલા મુસાફરોને લાભ મળી રહ્યો હતો. હાલમાં આ બસ કયા કારણોસર બંધ કરવામાં આવેલ ?, માણસોને હેરાન શા માટે કરવામાં આવે છે ? તેવા અનેક સવાલ છે ત્યારે લોકોની સુવિધા માટે જૂના રુટ મુજબ બસને ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.  




Latest News