રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો મોરબીમાં પાડોશીને ત્યાં આવતા પરણીત ઢગાએ સગીરાને ફસાવી, ધમકી આપી દુષ્કર્મ : ગુનો નોંધાતા ધરપકડ
Breaking news
Morbi Today

એસટી વિભાગની આડોડાઈ: રાજકોટથી ધાંગધ્રા જતા બસ અચાનક બંધ, પેસેન્જરોની મુશ્કેલીમાં વધારો


SHARE











એસટી વિભાગની આડોડાઈ: રાજકોટથી ધાંગધ્રા જતા બસ અચાનક બંધ, પેસેન્જરોની મુશ્કેલીમાં વધારો

રાજકોટથી ધાંગધ્રા જતા પેસેન્જરો માટે છેલ્લા 25 વર્ષથી બસ ચાલી રહી હતી તે બસ બંધ થતા બીજો કોઈ વિકલ્પ આપવામાં આવેલ નથી જેથી મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયેલ છે. આ બસને મુસાફરો પાસેથી મળી રહેલ માહિતી મુજબ રાજકોટ થી ધાંગધ્રા જે છેલ્લી લોકલ બસ જતી હતી તેમાં બદલાવ કરવામાં આવ્યો છે અને જેથી પેસેન્જરોને અવારનવાર બસ સ્ટેશન પર કલાકો સુધી રાતે બેસી રહેવું પડે છે.

આ બસમાં કેન્સર પીડીત, અન્ય બીમાર દર્દી, મુસાફરો, વેપારીઓ સહિતના મુસાફરી કરતાં હતા જો કે, ધાંગધ્રા વાળી બસ રાજકોટથી ધાંગધ્રા તરફ જતી છેલ્લી બસ છે. જેનો ઘણા લોકોને લાભ મળતો હતો જો કે, આ બસ બંધ થવા પાછળનું કારણ જાણી શક્યા નથી. અને રાજકોટ ધાંગધ્રા વાળી બસ હંમેશા પેસેન્જર ફૂલ હોય છે તો પછી કેમ બંધ કરવામાં આવી તે સૌથી મોટો સવાલ છે અને છેલ્લા વર્ષોના આ બસના હિસાબને ચેક કરવામાં આવે તો જાણી શકાય કે આ બસનો કેટલા મુસાફરોને લાભ મળી રહ્યો હતો. હાલમાં આ બસ કયા કારણોસર બંધ કરવામાં આવેલ ?, માણસોને હેરાન શા માટે કરવામાં આવે છે ? તેવા અનેક સવાલ છે ત્યારે લોકોની સુવિધા માટે જૂના રુટ મુજબ બસને ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.  






Latest News