મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

એસટી વિભાગની આડોડાઈ: રાજકોટથી ધાંગધ્રા જતા બસ અચાનક બંધ, પેસેન્જરોની મુશ્કેલીમાં વધારો


SHARE











એસટી વિભાગની આડોડાઈ: રાજકોટથી ધાંગધ્રા જતા બસ અચાનક બંધ, પેસેન્જરોની મુશ્કેલીમાં વધારો

રાજકોટથી ધાંગધ્રા જતા પેસેન્જરો માટે છેલ્લા 25 વર્ષથી બસ ચાલી રહી હતી તે બસ બંધ થતા બીજો કોઈ વિકલ્પ આપવામાં આવેલ નથી જેથી મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયેલ છે. આ બસને મુસાફરો પાસેથી મળી રહેલ માહિતી મુજબ રાજકોટ થી ધાંગધ્રા જે છેલ્લી લોકલ બસ જતી હતી તેમાં બદલાવ કરવામાં આવ્યો છે અને જેથી પેસેન્જરોને અવારનવાર બસ સ્ટેશન પર કલાકો સુધી રાતે બેસી રહેવું પડે છે.

આ બસમાં કેન્સર પીડીત, અન્ય બીમાર દર્દી, મુસાફરો, વેપારીઓ સહિતના મુસાફરી કરતાં હતા જો કે, ધાંગધ્રા વાળી બસ રાજકોટથી ધાંગધ્રા તરફ જતી છેલ્લી બસ છે. જેનો ઘણા લોકોને લાભ મળતો હતો જો કે, આ બસ બંધ થવા પાછળનું કારણ જાણી શક્યા નથી. અને રાજકોટ ધાંગધ્રા વાળી બસ હંમેશા પેસેન્જર ફૂલ હોય છે તો પછી કેમ બંધ કરવામાં આવી તે સૌથી મોટો સવાલ છે અને છેલ્લા વર્ષોના આ બસના હિસાબને ચેક કરવામાં આવે તો જાણી શકાય કે આ બસનો કેટલા મુસાફરોને લાભ મળી રહ્યો હતો. હાલમાં આ બસ કયા કારણોસર બંધ કરવામાં આવેલ ?, માણસોને હેરાન શા માટે કરવામાં આવે છે ? તેવા અનેક સવાલ છે ત્યારે લોકોની સુવિધા માટે જૂના રુટ મુજબ બસને ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.  






Latest News