મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી સિવિલ ખાતે દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ-બાળકો માટે મીઠાઈ, ફરસાણ અને ફ્રુટનું વિતરણ


SHARE













મોરબી સિવિલ ખાતે દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ-બાળકો માટે મીઠાઈ, ફરસાણ અને ફ્રુટનું વિતરણ

મોરબીની જનરલ હોસ્પિટલમાં સુપ્રીડેન્ટ ડો. પી.કે.દુધરેજીયા અને ડો.ધનસુખ અજાણા (ડિસ્ટ્રિક્ટ ટીબી એચ.આઇ.વી. ઓફિસર)ના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ, ફરસાણ અને સીજનેબલ ફ્રુટનું આયોજન કરવામાં આવેલ હતું આ કીટ વિતરણમાં ડો.પી.કે.દુધરેજીયા, ડો. દિશા પાડલિયા, ડો. અંકિતા કે.કોટડીયા, ઉપસ્થિત રહેલ હતા અને તેના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને કુલ ૬૫ લોકોને રાસન કીટ, બાળકોને મીઠાઇ, ફરસાણ અને ફ્રૂટની કુલ ૩૦ કીટ આપવામાં આવેલ હતી. આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી અનુદાન રાજેશભાઈ લાલવાણી દ્વારા દાતાઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલ હતું અને સંપૂર્ણ રાશન કીટના દાતા, મોરબી સિરામિક પરિવાર તથા બાળકો માટે કીટ દાતા તરીકે પ્રિયાંકભાઈ પંડિત (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) હતા.




Latest News